ભારત ભરમાં વસતા સમસ્ત ખાંટ રાજપુત સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન આગામી ૨૫ સપ્ટેમ્બરે જુનાગઢ ખાતે યોજાશે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/wgcf1p5azn4b1olh/" left="-10"]

ભારત ભરમાં વસતા સમસ્ત ખાંટ રાજપુત સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન આગામી ૨૫ સપ્ટેમ્બરે જુનાગઢ ખાતે યોજાશે


સત્કાર સમારંભમાં સમાજના જ્ઞાતિ રત્ન અને હાસ્ય સમ્રાટ ધીરૂભાઈ સરવૈયા ખાસ ઉપસ્થિત રહેશે

(આશિષ લાલકીયા દ્વારા)
ઉપલેટા તા. ૦૮ સપ્ટેમ્બર ૨૦૨૨, શ્રી સમસ્ત ખાંટ રાજપુત સમાજ કેળવણી વિકાસ મંડળ-ગુજરાત રાજ્ય (જેતપુર) દ્વારા ભારત ભરમાં વસતા સમસ્ત ખાંટ રાજપુત સમાજના તેજસ્વી વિદ્યર્થિઓનું સન્માન તેમજ સંસ્ક્ર્તિક કાર્યક્રમ આગામી તા. ૨૫-૦૯-૨૦૨૨ ને રવિવારના રોજ જુનાગઢના શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે યોજાશે જેમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સત્કાર સમારોહ, વિદ્યારત્ન એવોર્ડથી સન્માન, જ્ઞાતિના નવ નિયુક્ત કર્મચારીઓનું સન્માન, ઈતર પ્રવૃતિઓમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરેલનું સન્માન તેમજ સંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.

જુનાગઢ ખાતે યોજાનાર આ કાર્યક્રમ પંચાવયવી કાર્યક્રમમાં જ્ઞાતિરત્નો, દાતાઓ, વડીલો તેમજ જ્ઞાતિઓના આગેવાનો યુવાનો સહિતના સૌ કોઈની ઉપસ્થિતિમાં યોજાશે જેમાં આ કાર્યક્રમાં વિદ્યાર્થીઓ અને સન્માન થનારા ઉમેદવારોને પ્રોત્સાહન આપવા માટે સમસ્ત ખાંટ રાજપુત સમાજના જ્ઞાતિરત્ન તેમજ ખ્યાતનામ લોક સાહિત્યકાર તેમજ લોકસાહિત્ય કારમાં ગુજરાત સરકાર દ્વારા ગૌરવ પુરષ્કાર મેળવનાર હાસ્ય સમ્રાટ ધીરૂભાઈ સરવૈયા ખાસ ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમમાં ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારોએ શક્ય હોઈ તો ખાસ હાજર રહેવું અન્યથા તેમના પ્રતિનિધિને ખાસ હાજર રાખવાનું સુચન પ્રમુખ ભાવેશભાઈ દેવધરીયા, મહામંત્રી દિલીપભાઈ ગુજરાતી તેમજ ખજાનચી મહેશભાઈ ભીલ દ્વારા તેમની યાદીમાં જણાવેલ છે ત્યારે જૂનાગઢમાં યોજાઈ રહેલા આ કાર્યક્રમમાં હાજરી આપવા અને સહભાગી થવા ભારત ભરમાં વસતા સમસ્ત ખાંટ રાજપુત સમાજના સર્વે જ્ઞાતિજનોને પધારવા માટે મંડળના પ્રમુખ દ્વારા હૃદયથી ખાસ આવકારવામાં આવેલ છે.

તસ્વીર/અહેવાલ:- આશિષ લાલકીયા, ઉપલેટા (રાજકોટ)
મો. 9016201128


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]