મહીસાગર જિલ્લા ના HTAT મુખ્ય શિક્ષકોએ બદલી નિયમો જાહેર ના થતાં કલેકટર સાહેબને આવેદન પત્ર આપ્યું. - At This Time

મહીસાગર જિલ્લા ના HTAT મુખ્ય શિક્ષકોએ બદલી નિયમો જાહેર ના થતાં કલેકટર સાહેબને આવેદન પત્ર આપ્યું.


ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓ માં હાલ ના વડા પ્રધાન અને તે સમય ના મુખ્યમંત્રીશ્રી ની દૂરંદેશીને કારણે HTAT આચાર્યો ની નવી પોસ્ટ ઊભી કરવામાં આવી હતી. જે અંતર્ગત 2012 થી 2018 સુધી પ્રાથમિક શાળાઓમાં HTAT મુખ્ય શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી. HTAT ભરતી ને 12 વર્ષ જેટલો લાંબો સમય થયો હોવા છતાં આજ દિન સુધી અમારા બદલી અને સેવાકીય નિયમો જાહેર થયા નથી.અમારા બદલી, સેવાકીય નિયમો અને વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે વિવિધ રજૂઆતો શિક્ષણ વિભાગ માં કરી રહ્યા છીએ. નિયમો તૈયાર હોવા છતાં જાહેર કરવા અંગે આજ દિન સુધી નિર્ણય લેવાયેલ નથી.પરિણામે અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની જરૂર પડશે, તેમ મહીસાગર જિલ્લા HTAT આચાર્યશ્રી એ જણાવ્યું હતું.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.