જસદણમાં વઘાસિયા પરિવારના કુળદેવી શ્રી વેરાઈ માતાજીના મંદિરે 24 મો પાટોત્સવ ઉજવાયો - At This Time

જસદણમાં વઘાસિયા પરિવારના કુળદેવી શ્રી વેરાઈ માતાજીના મંદિરે 24 મો પાટોત્સવ ઉજવાયો


જસદણમાં કોઠીના નાલા પાસે વઘાસીયા પરિવાર દ્વારા ગતરોજ શ્રી વેરાઈ માતાજીના મંદિરે 24 મો પાટોત્સવ ઉજવાયો હતો. આ ઉત્સવના મુખ્ય આચાર્ય શ્રી જસદણ નિવાસી શાસ્ત્રી કેતનભાઇ ચંદ્રકાંતભાઈ ત્રિવેદી બિરાજી વિદોક્ત વિધિથી યજ્ઞ કરાવેલ અને આ પ્રસંગે શ્રી વેરાઈ માતાજી તથા શ્રી બ્રહ્માણી માતાજી તથા શ્રી સુરાપુરા દાદા તથા બાલા સુરધન દાદા તથા વાસંગી દાદા નું પૂજન કરાયું હતું. આ પ્રસંગે ગુજરાતના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ પણ હાજરી આપી હતી. અને સમસ્ત વઘાસિયા પરિવાર દ્વારા જસદણમાં ભવ્યાથી શ્રી વેરાઈ માતાજીના મંદિરે 24 મો પાટોત્સવ ઉજવાયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.