ડભોડામાં શ્રી ગામટોળાં બળિયાદેવ મહારાજ ના 17 માં પાટોત્સવની તડામાર તૈયારીઓ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/vv9zzaupiv4j5aso/" left="-10"]

ડભોડામાં શ્રી ગામટોળાં બળિયાદેવ મહારાજ ના 17 માં પાટોત્સવની તડામાર તૈયારીઓ


ડભોડામાં શ્રી ગામટોળા બળીયાદેવ ના 17 માં પાટોત્સવની તડામાર તૈયારીઓ

ગાંધીનગર તાલુકાના ડભોડા ગામ ખાતે આવેલા શ્રી ગામટોળા બળિયાદેવ મહારાજ ની 17 માં પાટોત્સવની તૈયારીઓ બળીયાદેવ યુવક મંડળ તેમજ ગ્રામજનો દ્વારા આરંભ કરવામાં આવી છે. આગામી તારીખ 18 મી અને 19મી ના રોજ 17 મો પાટોત્સવ ઉજવાશે . 18મી તારીખે બપોરે 12. 39 કલાકે બળિયાદેવ મહારાજની બેન્ડવાજા સાથે શોભાયાત્રા ગામમાં નીકળશે . શોભાયાત્રામાં હજારો લોકો ભક્તિ ભાવપૂર્વક જોડાતા હોય છે જેમાં વિવિધ વેશભૂષાઓ સહિતનું આયોજન કરવામાં આવે છે . 19 મી તારીખે સોમવાર યજ્ઞ પૂજા મહા આરતી નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાતે ૧૦ કલાકે મહા આરતીમાં સમગ્ર ગ્રામ્યજનો પોતાના ઘરેથી દીવા લઈને મંદિરે પહોંચે છે અને મહા આરતી કરવામાં આવે છે. આ મહા આરતીમાં સમગ્ર ગ્રામજનો ઉમટી પડે છે . આમ બે દિવસના પાટોત્સવ મહોત્સવની તૈયારીઓ કરવામાં આવી રહી છે

રિપોર્ટર મહેશસિંહ રાઠોડ દહેગામ


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]