પોરબંદર ક્રિકેટ જગતના સિનીયર કોચ રામભાઈ ઓડેદરાનું લાંબી બિમારી બાદ દુઃખદ અવસાન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/wiytfpjvzwyqqpqt/" left="-10"]

પોરબંદર ક્રિકેટ જગતના સિનીયર કોચ રામભાઈ ઓડેદરાનું લાંબી બિમારી બાદ દુઃખદ અવસાન


પોરબંદર ક્રિકેટ જગતના સિનીયર કોચ રામભાઈ ઓડેદરાનું લાંબી બિમારી બાદ દુઃખદ અવસાન

ઉત્તમ તાલીમ આપી ક્રિકેટરો તૈયાર કરનારા સિનીયર કોચના નિધનથી શોક છવાયો

પોરબંદરના અનેક નવયુવાનોને ક્રિકેટની ઉત્તમ તાલીમ આપનારા સિનીયર કોચ રામભાઈ ઓડેદરાનું આજે નિધન થયું છે. આ સિનીયર કોચનું લાંબી બિમારી બાદ અવસાન થતા શહેરભરમાં ભારે શોક છવાઈ ગયો છે.

પોરબંદરના સિનીયર ક્રિકેટ કોચ રામભાઈ ઓડેદરાએ ક્રિકેટ ક્ષેત્રે આપેલું યોગદાન અનન્ય છે. દુલીપ સ્કૂલ ઓફ ક્રિકેટમાં ઉગતા ક્રિકેટરોને તાલીમ મેળવી રહ્યા છે. જેમાં અનેક નવયુવાનોને ક્રિકેટની ઉત્તમ ટ્રેનિંગ આપનાર પોરબંદર ક્રિકેટ જગતમાં રામભાઈ ઓડેદરાને ભિષ્મ પિતામહ સમાન ગણવામાં આવતા હતા. છેલ્લા ઘણાં સમયથી તેઓ બિમાર હતા અને તેઓની સારવાર પણ ચાલી રહી હતી. જેમાં લાંબી બિમારી બાદ આજે તેઓનું નિધન થતા પોરબંદરના ક્રિકેટ ક્ષેત્રે પૂરી ન શકાય તેવી ખોટ પડી છે. તેઓના અવસાનથી પોરબંદરના રમતગમત ક્ષેત્રે સંકળાયેલા લોકો, ખેલાડીઓ ઉપરાંત શહેરભરમાં શોક છવાયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]