આજે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ (સિહોર) સારથી વિદ્યા સંકુલ દ્વારા સંચાલીત આજરોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલમાં વિજ્ઞાન દિન ની ઉજવણી કરવામાં આવી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/vhawbabyvqinndj4/" left="-10"]

આજે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ (સિહોર) સારથી વિદ્યા સંકુલ દ્વારા સંચાલીત આજરોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલમાં વિજ્ઞાન દિન ની ઉજવણી કરવામાં આવી


જેમાં પૂજ્ય શાસ્ત્રી શ્રી ભગવત સ્વરૂપદાસજી તથા ડાયરેક્ટર શ્રી કનુભાઈ હડિયા ના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું તથા ડાયરેક્ટર શ્રી ભરતભાઈ હડિયા તથા વિનુભાઈ હડિયા અને પ્રિન્સિપાલ શ્રી ફાલ્ગુનીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન સંબંધિત રસ કેળવવાની તક પૂરી પાડવામાં આવી. જેમાં ગુજરાતી મીડીયમ તથા અંગ્રેજી મીડીયમ ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ સર્જનાત્મક તથા પ્રાયોગિક મોડલો સો કરતાં વધુ, ચાર્ટ મેકિંગ વગેરે બનાવ્યા હતા તથા વિદ્યાર્થીઓએ તેની સમજૂતી પણ ખૂબ જ સુંદર રીતે આપી હતી.
આ કાર્યક્રમને દરેક વાલી ગણે પણ ખૂબ જ ઉત્સાહ અને આનંદપૂર્વક નિહાળીઓ હતો.
વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન સંબંધિત રસ જળવાઈ રહે તે હેતુસર દરેક શિક્ષકગણે પણ ભારે જહેમત ઉઠાવી હતી. રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]