મારા પતિને બીજી યુવતી સાથે સબંધ છે’ સ્યુસાઈડ નોટ લખી નવોઢા આપઘાત - At This Time

મારા પતિને બીજી યુવતી સાથે સબંધ છે’ સ્યુસાઈડ નોટ લખી નવોઢા આપઘાત


મારા પતિને બીજી યુવતી સાથે સબંધ છે’ સ્યુસાઈડ નોટ લખી મેટોડાની નવોઢા જયશ્રી દાફડાએ પોતાના ઘરે ગળેફાંસો લગાવી આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવની જાણ થતાં લોધિકા પોલીસ દોડી ગઈ હતી.
પ્રાપ્ત વિગત અનુસાર, મેટોડા ગેઇટ-2 પાસે એકતાનગરમાં રહેતી જયશ્રીબેન નયનભાઈ દાફડા (ઉ.વ.22) ગતરાત્રીના પતિ બહાર ગયા બાદ પોતાના રૂમમાં મારા પતિને અન્ય યુવતી સાથે સબંધ છે અને મારું કઈ રાખતાં નથી સ્યુસાઇડ નોટ લખી પંખાના હુકમાં ચુંદડી બાંધી ગળેફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. તેના સાસુએ રૂમમાં તપાસ કરતાં પુત્રવધૂ લટકેલી હાલતમાં જોવા મળી હતી અને ત્વરિત તેના પુત્રને જાણ કરી હતી, ઘરે આવેલા નયનભાઈએ 108 ને જાણ કરી જયશ્રીબેનને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબે તપાસી તેને મૃત જાહેર કર્યા હતાં.
બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે જાણ કરતાં લોધિકા પોલીસના હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ ખાચર દોડી આવ્યા હતાં અને જરૂરી કાગળો કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડી અપઘાતનું કારણ જાણવા પરિવારની પૂછપરછ હાથ ધરી હતી.
વધુમાં, મૃતકના પતિ નયનભાઈએ જણાવ્યું હતું કે, તે રીક્ષા ચલાવે છે અને તેના લગ્ન સાત માસ પેહલાં થયેલ હતાં.ગત સાંજે હું ઘરે આવ્યો ત્યારે મારી પત્ની જયશ્રીએ મને કહ્યુ હતું કે, પડોશીને રેલવેસ્ટેશન મુકવા જવાના છે, જેથી હું ભાડું કરવા ઘરેથી નીકળ્યો હતો, જે બાદ તેને અંતિમ પગલું ભરી લીધું હતું.
મૃતકનું માવતર જામનગર છે અને તે ત્રણ ભાઈ બહેનમાં મોટી હતી તેમજ તે સાસરે તેના પતિ અને સાસુ સસરા સાથે રહેતી હતી. બનાવથી પરિવારમાં શોક છવાયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.