જસદણની ઘાંચી સમાજની વાડી ખાતે સમસ્ત મુસ્લિમ સમાજનું સ્નેહમીલન: બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા - At This Time

જસદણની ઘાંચી સમાજની વાડી ખાતે સમસ્ત મુસ્લિમ સમાજનું સ્નેહમીલન: બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા


જસદણની ઘાંચી સમાજની વાડી ખાતે સમસ્ત મુસ્લિમ સમાજનું સ્નેહમીલન: બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

જસદણની ગેબનશા સોસાયટીમાં આવેલ ઘાંચી સમાજની વાડી ખાતે કુંવરજી બાવળિયાના અધ્યક્ષસ્થાને સ્નેહમીલન કાર્યક્રમ યોજાયો હતો. આ તકે જસદણ શહેરના મુસ્લિમ સમાજના અગ્રણી આગેવાનો સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ઘાંચી સમાજના પ્રમુખ રફીક ગોગદા, સિપાઈ સમાજના પ્રમુખ મહેબૂબ પઠાણ, મેમણ સમાજના પ્રમુખ ઈમરાન ખીમાણી, લઘુમતી મોરચાના રાજકોટ જિલ્લાના પ્રમુખ અલ્લાઉદીન ફોગ, લઘુમતી મોરચાના શહેર પ્રમુખ ઈલિયાસ, મુસ્લિમ સમાજના આગેવાન સીરાઝ ડાયાતર, શબ્બીર કથીરી સહિતના સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે જસદણના સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનોએ કુંવરજી બાવળિયાને જો ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર કરવામાં આવશે તો જંગી લીડથી જીતાડવાની ખાતરી આપી હતી.

રીપોર્ટ: નરેશ ચોહલિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.