ધંધુકા સોનીની વાડી ખાતે જોષી પરિવાર આયોજીત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ની પુર્ણાહુતી. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/rfbhf1axzgktmqb1/" left="-10"]

ધંધુકા સોનીની વાડી ખાતે જોષી પરિવાર આયોજીત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ની પુર્ણાહુતી.


ધંધુકા ખાતે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ની પૂર્ણાહુતિ.
અમદાવાદ જીલ્લા ના ધંધૂકા સોનીની વાડી ખાતે જોષી પરિવાર આયોજીત શ્રીમદ ભાગવત સપ્તાહની પુર્ણાહુતીનો સમારોહ યોજાયો હતો. ધોલેરા મદનમોહનજી મંદિરના શાસ્ત્રી સ્વામી હરીપ્રકાશદાસજી અને સ્વામી હરિચરણદાસજીએ વ્યાસ પીઠ પરથી સાત દિવસ શ્રીમદ્દ ભાગવતની જ્ઞાનગંગા વહાવી હતી. કથા દરમિયાન વિવિધ ઉત્સવો પણ ઉજવાયા હતા. પુનિત ભજન મંડળ અને જયરામ ભજન મંડળના ભજન સત્સંગ પણ યોજાયા હતા. કથાના અંતિમ દિવસે મોટીસંખ્યામાં ઉપસ્થિત ભકતોની હાજરીમાં કથાની પુર્ણાહૂતી થઇ હતી. જ્યારે વાજતેગાજતે પોથીયાત્રા જાગનાથ મહાદેવ સુધી પહોંચી હતી. જોષી પરિવાર દ્વારા સમગ્ર કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યુ હતું.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]