રાજકોટમાં આશાવર્કર બહેનોએ વેતન વધારાની માગ સાથે ‘ભાજપ તેરા ક્યા ભરોસા’, ‘નારી શોષણ બંધ કરો’ના સુત્રોચ્ચાર કર્યા - At This Time

રાજકોટમાં આશાવર્કર બહેનોએ વેતન વધારાની માગ સાથે ‘ભાજપ તેરા ક્યા ભરોસા’, ‘નારી શોષણ બંધ કરો’ના સુત્રોચ્ચાર કર્યા


રાજકોટમાં ફરી આશાવર્કર બહેનો આંદોલનના માર્ગે ઉતરી છે. છેલ્લા 3 દિવસથી અલગ અલગ માગણીઓને લઈ બહેનો હડતાળ પર ઉતરી છે. આજે જ્યબેલી ગાર્ડનમાં મોટી સંખ્યામાં આશવર્કર બહેનો એકત્ર થઈ હતી અને વેતન વધારાની માગ સાથે ‘ભાજપ તેરા ક્યા ભરોસા’, ‘નારી શોષણ બંધ કરો’ના સુત્રોચ્ચાર કર્યા હતા. સરકાર અને ભાજપ વિરૂદ્ધ સુત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.