રાજકોટમાં ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ કહ્યું- ‘પાર્ટીની માન્યતા રદ કરવાની વાતમાં પણ ભાજપ રેવડીની જેમ નિષ્ફળ જશે’ - At This Time

રાજકોટમાં ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ કહ્યું- ‘પાર્ટીની માન્યતા રદ કરવાની વાતમાં પણ ભાજપ રેવડીની જેમ નિષ્ફળ જશે’


ગુજરાતમાં પૂર્વ સનદી અધિકારીઓ દ્વારા આમ આદમી પાર્ટીની માન્યતા રદ કરવાની માગ ઉઠી છે. ત્યારે AAPના રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી ઇન્દ્રનીલ રાજ્યગુરુએ રાજકોટમાં આ અંગે મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, પાર્ટીની માન્યતા રદ કરવાની વાતમાં પણ ભાજપ રેવડીની જેમ નિષ્ફળ જશે. આ વખતે આમ આદમી પાર્ટીનું જોર જોઈને ભાજપ ડરી રહ્યો છે. અમારા ગેરંટી કાર્ડથી ડરી ગયા છે આથી ગઈકાલે અમારા ગેરંટી કાર્ડના ટેન્ટ પર હુમલો કર્યો હતો. આમ આદમી પાર્ટીને રોકવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. એના બધા પ્રયત્નો નિષ્ફળ જઈ રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.