બરવાળા તાલુકાનો ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’ તા. ૨૭/૦૩/૨૦૨૪ના રોજ યોજાશે, તા. ૧૦/૦૩/૨૦૨૪ સુધી પ્રશ્નોની અરજી કરી શકાશે - At This Time

બરવાળા તાલુકાનો ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’ તા. ૨૭/૦૩/૨૦૨૪ના રોજ યોજાશે, તા. ૧૦/૦૩/૨૦૨૪ સુધી પ્રશ્નોની અરજી કરી શકાશે


બરવાળા તાલુકાનો ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’ મામલતદાર કચેરીના સભાખંડમાં નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, બોટાદના અધ્યક્ષસ્થાને આગામી તારીખ ૨૭/૦૩/૨૦૨૪ બુધવારના રોજ સવારના ૧૧-૦૦ કલાકે યોજાશે બરવાળા તાલુકાના આ તાલુકા કક્ષાના જાહેર ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં બરવાળા તાલુકાના સમગ્ર નાગરીકો તેમને રોજીંદા જીવનને સ્પર્શતા પ્રશ્નો, લાંબા સમયથી પડતર પ્રશ્નો, નીતિ વિષયક પ્રશ્નો કે તે સિવાયની અન્ય તકલીફો કે જેનો સ્થાનિક તંત્ર દ્વારા અરજી કરવા છતાં નિકાલ ન કરવામાં આવતો હોય તેવા પ્રશ્નો અત્રે રજુ કરી શકાય છે. સ્થાનિક તંત્રની લોકો પ્રત્યેની જવાબદેહીતા તથા જનસંવેદના ધ્યાને લઇ તમામ પ્રશ્નોનો નિયમોનુસાર નિકાલ કરવામાં આવશે આવા પ્રશ્નો માટેની અરજી તારીખ ૧૦/૦૩/૨૦૨૪ સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય સવારના ૧૧-૦૦ કલાકથી સાંજના ૬-૦૦ કલાક સુધી સ્વીકારવામાં આવશે તેમ મામલતદાર બરવાળા દ્વારા જણાવવામાં આવ્યું છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.