ગરબાડા ૧૩૩ વિધાનસભા વિસ્તારમાં ૨૧ જાન્યુઆરીએ વન સેતુ ચેતના યાત્રાનું આગમન થશે. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/thp6mmhn8ek1msf8/" left="-10"]

ગરબાડા ૧૩૩ વિધાનસભા વિસ્તારમાં ૨૧ જાન્યુઆરીએ વન સેતુ ચેતના યાત્રાનું આગમન થશે.


ગરબાડા હાટ બજાર મેદાનમાં આ યાત્રાનો કાર્યક્રમ યોજાશે.

લોકસભા ચૂંટણી પહેલાં રાજ્ય સરકાર ઉમરગામથી અંબાજી ૧૦૦૦ કિ.મી લાંબી વન સેતુ ચેતના યાત્રા કાઢશે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આ યાત્રાને પ્રારંભ કરાવશે ગુજરાત ના વધુ આદિવાસી વસ્તી ધરાવતા ૧૩ જિલ્લાઓમાં આ યાત્રા ફરવાની છે ત્યારે આ યાત્રા દાહોદ જિલ્લાના ગરબાડા ૧૩૩ મત વિસ્તારમાં તારીખ ૨૧ જાન્યુઆરી ના રવિવાર ના રોજ હાટ બજાર ખાતે આવી પહોંચશે વન સેતુ ચેતના યાત્રા કાર્યક્રમમાં સરકારની સિદ્ધિઓ,રામ મંદિર,આદિજાતિ ક્ષેત્રમાં થયેલ કામો,આદિજાતિ સમુદાયના વિશિષ્ટ સન્માન જેવા કાર્યક્રમોને આવરી લેવામાં આવશે ત્યારે આ યાત્રા ને લઈ ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર કામગીરીમાં જોતરાયા છે અને લોકો ને કાર્યક્રમમાં સહભાગી થવા આમંત્રિત કરવામાં આવી રહ્યા છે.


9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]