કેન્દ્રીય વિદ્યાલય હિંમતનગર ખાતે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજાશે - At This Time

કેન્દ્રીય વિદ્યાલય હિંમતનગર ખાતે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજાશે


કેન્દ્રીય વિદ્યાલય હિંમતનગર ખાતે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજાશે
*******
સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર કેન્દ્રીય વિદ્યાલય ખાતે તા. ૨૩ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિદ્યાર્થીઓ પરીક્ષામાં તનાવ મુક્ત રહી સારી રીતે પરીક્ષા આપી શકે તે માટે પરીક્ષા પે ચર્ચાની પહેલ કરવામાં આવી છે. જે અંતર્ગત રાજ્ય બોર્ડ અને સી.બી.એસ.સી. બોર્ડની ૧૯ શાળાઓમાં ચિત્ર સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. વડાપ્રધાન શ્રી દ્વારા આ વખતની પરીક્ષા પે ચર્ચા માટે પરીક્ષા એક ઉત્સવ, ઉમંગ અને ઉલ્લાસ સમાન છે, પ્રતિસ્પર્ધા નહીં અનુસ્પર્ધા તેમજ વિકસિત ભારત જેવા વિષયો આપવામાં આવ્યા છે.
*******


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.