પિરાણા ખાતે અઢીસોથી વધુ ગાયોના શિંગડા તિરંગાના રંગે રંગાયા - At This Time

પિરાણા ખાતે અઢીસોથી વધુ ગાયોના શિંગડા તિરંગાના રંગે રંગાયા


અમદાવાદ,તા.14 ઓગષ્ટ 2022, રવિવારદેશની આઝાદીના ૭૫ વર્ષ પર્વને ધ્યાને લઇને પિરાણા ખાતે આવેલા તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે  શ્રી નાનકદાસજી મહારાજ ગૌશાળામાં ૨૫૦ થી વધુ ગાયોને શિંગડા તિરંગાના રંગે રંગી, ગાય માતાની પૂજા કરવામાં આવી હતી.  આ ગૌશાળામાં આઝાદી કા અમૃત મહોત્સવની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે.દસક્રોઇ તાલુકાના પિરાણા ખાતે આવેલી આ ગૌશાળામાં તમામ ગાયોની વિશેષ પૂજા કરવામાં આવી રહી છે. આ અંગે ટ્રસ્ટી હર્ષદ પટેલના જણાવ્યા મુજબ દેશની આઝાદીની દેશભરમાં ઉજવણી ચાલી રહી છે. ભારતમાતા અને ગાયમાતા બંને પૂજ્ય છે. ગાય માતામાં ૩૩ કરોડ દેવી-દેવતાઓનો વાસ છે.આઝાદીના આ અમૃત મહોત્સવ પ્રસંગે ગાયોના શિંગડાને તિરંગાના રંગે રંગવામાં આવ્યા છે. ગાય માતાની પૂજા કરીને ઉજવણી કરાઇ રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.