ગઈકાલે રાત્રિના 12:30 કલાકે પાલીતાણા ફાયર વિભાગમાં કોલ આવતા કદમગીરી ગામ પાસે આવેલ કમળા મંદિર વાળા ડુંગર પર આગ લાગી હતી
ગઇ રાત્રિના 12:30 કલાકે પાલીતાણા ફાયર વિભાગમાં કોલ આવતા કદમગીરી ગામ પાસે આવેલ કમળા મંદિર વાળા ડુંગર પર આગ લાગેલ જેમાંપાલીતાણા ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરેલ પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરેલ હતું જેથી કરીને સિહોર, મહુવા, તળાજા ,ગારીયાધાર, અલંગ, ભાવનગર વગેરે તમામ ફાયર સ્ટાફ પણ સાથે રાખી ભારે જહમત બાદ સવારે 8:30 કલાકે આગને સંપૂર્ણપણે કાબુમાં લીધેલ છે..જે ઘટના પર સતત પાલીતાણા મામલતદાર શ્રી પટેલ સાહેબ,ટીપી ચેરમેન સાહેબ, સ્થાનિક અધિકારીઓ,સ્થાનિક પદાધિકારી,તાલુકા વિકાસ અધિકારી,તાલુકા અધિકારી , ફાયર ઓફિસર પાલીતાણા,ફાયર ઓફિસર સિહોર,ફાયર ઓફિસર તળાજા અને તમામ ફાયર સ્ટાફ વગેરે સાથે રહી અને આખી રાત સ્થળ પર રહી કામગીરી કરી જેની ભાવનગર કલેકટર સાહેબ શ્રી એ પણ ટીમ ને ખબ ખૂબ અભિનંદન પાઠવેલ રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]