આપના બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા ભાજપ ઉપર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા - At This Time

આપના બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા ભાજપ ઉપર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા


આપના બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા ભાજપ ઉપર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા

બોટાદ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા ભાજપા પર આક્ષેપો કરતા કહ્યું કે હાલમાં ભાજપા દ્વારા વિપક્ષના ધારાસભ્યોને ડરાવી,ધમકાવી એનકેન પ્રકારે રાજીનામાં અપાવવાનો પ્રયાસ થઇ રહ્યા છે,આજે જ વિજાપુર વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડાએ રાજીનામુ આપ્યું છે જે ખુબજ દુખનીય ઘટના છે.વધુમાં બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ જણાવ્યું કે આવી ઘટનાઓ લોકશાહીનું હનન કરી રહી છે,ભાજપા ઉપર આક્ષેપો કરતા જણાવ્યું કે મોરબીની જુલતા પૂલની દુર્ઘટના હોય કે તક્ષશીલા જેવી દુર્ઘટના હોય કે પસી હાલમાં જ બનેલ વડોદરા ખાતે લેક દુર્ઘટના હોય અનેકો આવી ઘટનાઓ બનતી હોય છે પરંતુ સરકાર આવી ઘટનાઓને નજર અંદાજ કરી વિપક્ષના ધારાસભ્યોને એનકેન પ્રકારે ડરાવી,ધમકાવી રાજીનામાં અપાવી અને ભાજપામાં જોડવાના અને વિપક્ષને ખતમ કરાવાના પ્રયાસો કરી રહી છે,જો ગુજરાતમાં અને દેશમાં આમ લોકશાહી ખતમ કરવાની ઘટનાઓ ચાલશે તો રામરાજ્યની જગ્યાએ રાવણરાજ્ય આવી જશે,જો ખરા અર્થમાં રામરાજ્યની સ્થાપના કરવી હોય અને લોકશાહીને જાળવી રાખવી હોય તો વિપક્ષનું સન્માન કરવું જોઈએ,નઈ કે ડરાવી ધમકાવી વિપક્ષને ખતમ કરવાના પ્રયાસો કરવા જોઈએ.આમ બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા ભાજપા ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા.

બોટાદ બ્યુરો ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.