નિસ્વાર્થ સેવા સંગઠન દ્વારા કોવિડ-19ની મહામારીમાં માનવતા માટે શ્રેષ્ઠ કામગીરી માટે ગોકુલધામ નારને સન્માનપત્ર અર્પણ - At This Time

નિસ્વાર્થ સેવા સંગઠન દ્વારા કોવિડ-19ની મહામારીમાં માનવતા માટે શ્રેષ્ઠ કામગીરી માટે ગોકુલધામ નારને સન્માનપત્ર અર્પણ


નિસ્વાર્થ સેવા સંગઠન દ્વારા કોવિડ-19ની મહામારીમાં માનવતા માટે શ્રેષ્ઠ કામગીરી માટે ગોકુલધામ નારને સન્માનપત્ર અર્પણ

"સર્વજીવ હિતાવહ” ને કેન્દ્રમાં રાખીને શ્રી સ્વામિનારાયણ ગોકુલધામ, નાર દ્વારા છેલ્લા 2004થી શિક્ષણ,સમાજ સેવા અને આધ્યાત્મિકતાની વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. "માનવ સેવા એ પણ પ્રભુસેવા" ને ધ્યાને રાખીને ગોકુલધામ નાર દ્વારા કોવિડ-19 મહામારીમાં આણંદ જિલ્લામાં માસ્ક વિતરણ, ફુડ વિતરણ અને પરીસરમાં આવેલ છાત્રાલયમાં 100 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરીને 260 કરતા પણ વધારે દર્દીઓને સારવાર આપી હતી. કોવિડ-19ની વૈશ્વિક મહામારીમાં ગોકુલધામ નાર દ્વારા જે સેવાઓ કરવામાં આવી તે ધ્યાને લઈને નિસ્વાર્થ સેવા સંગઠન દ્વારા ગોકુલધામ નારના સ્વપ્નદ્દષ્ટ્રા પ.પૂ. સુખદેવપ્રસાદદાસજીને સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું.
રિપોર્ટર ‌-મંહમદ રફિક જે દિવાન કિસ્મત આણંદ તારાપુર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.