વડાલી પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી., - At This Time

વડાલી પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી.,


લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ અન્વયે સાબરકાંઠા જીલ્લામાં આદર્શ આચાર સંહિતાનો અમલ થાય અને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે એસ.ઓ.જી.ચાર્ટર મુજબની કામગીરી કરવા તથા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સારુ ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી વિજય પટેલ સાહેબ નાઓએ પરીણામલક્ષી કામગીરી કરવા સુચના કરેલ.

જે સુચના અન્વયે પો.ઇન્સ.શ્રી. એ.જી.રાઠોડ,એસ.ઓ.જી.સાબરકાંઠા નાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.સ્ટાફ વડાલી પો.સ્ટે.વિસ્તારમાં એ.ટી.એસ.ચાર્ટર લગત કામગીરી અન્વયે પેટ્રોલીંગમાં હતો દરમ્યાન આ.પો.કોન્સ.નિકુંજકુમાર નરસિંહભાઈ બ.નં- ૯૦૦ તથા આ.પો.કોન્સ. જયરાજસિંહ કેશરીસિંહ બ.નં-૫૧૯ નાઓને મળેલ સંયુક્ત ખાનગી બાતમી હકિક્ત અન્વયે વડાલી પો.સ્ટે.પાર્ટ સી.ગુ.ર.નં ૧૧૨૦૯૦૫૪૨૩૦૫૮૬/૨૦૨૩ ધી પ્રોહી એક્ટ કલમ ૬૫ એ.એ.૮૧ મુજબના ગુનાનો નાસતો ફરતો આરોપી અજયકુમાર શંકરભાઈ ભગોરા રહે.આંતરી તા. વિજયનગર જી. સાબરકાંઠાવાળો ધરોઈ ત્રણ રસ્તા ખેડબ્રહ્મા જતા રોડ ઉપરથી મળી આવતાં સદરી આરોપીને સી.આર.પી.સી.કલમ ૪૧(૧)આઈ મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ વડાલી પોલીસ સ્ટેશન ખાતે સુપરત કરવામાં આવેલ છે.

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી

(૧) અ.હે.કોન્સ. રમણભાઈ સુકાજી

(૨) આ.પો.કોન્સ. જયરાજસિંહ કેશરીસિંહ

(૩) આ.પો.કોન્સ. નિકુંજકુમાર નરસિંહભાઇ

(૪) ડ્રા.પો.કોન્સ. સુનિલ જયંતિલાલ

રિપોર્ટર હસન અલી સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.