રામનવમીના રોજ નારણપુરા ગાયત્રી પરિવારની બહેનો દ્વારા સમૂહમાં ચૈત્ર નવરાત્રીના ગાયત્રી અનુષ્ઠાની પૂર્ણાહુતિ નિમિત્તે ગાયત્રીયજ્ઞનું આયોજન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/sy24vzctqoqhmybm/" left="-10"]

રામનવમીના રોજ નારણપુરા ગાયત્રી પરિવારની બહેનો દ્વારા સમૂહમાં ચૈત્ર નવરાત્રીના ગાયત્રી અનુષ્ઠાની પૂર્ણાહુતિ નિમિત્તે ગાયત્રીયજ્ઞનું આયોજન


તા.૧૭-૪-૨૦૨૪ રામનવમીના રોજ નારણપુરા ગાયત્રી પરિવારની બહેનો દ્વારા સમૂહમાં ચૈત્ર નવરાત્રીના ગાયત્રી અનુષ્ઠાની પૂર્ણાહુતિ નિમિત્તે ગાયત્રીયજ્ઞનું આયોજન નારણપુરા,સુર સંગમ એપાર્ટમેન્ટ ખાતે કરવામાં આવ્યું હતું યજ્ઞ કાર્ય યજ્ઞાચાર્ય રંજનબેન પટેલ તથા ભાવનાબેન પટેલે રસપ્રદ વાણીમાં સવિસ્તાર ગાયત્રી મંત્ર,યજ્ઞ વિશે સમજાવ્યું હતું જેમાં સમૂૂહમાં મોટી સંખ્યામાં બહેનો જોડાઈ હતી આ અગાઉ દરરોજ બપોરે તા.૯ એપ્રિલ મંગળવાર થી તા.૧૭ એપ્રિલ બુધવાર સુઘી બપોરે ૩થી ૫ દરમ્યાન દરરોજ ગાયત્રી અનુષ્ઠાન નિમિત્તે ૧૨ ગાયત્રી ચાલીસા પાઠ,ગાયત્રી મંત્ર,મહામૃત્યુંજ્ય મંત્ર,ભજન લોક કલ્યાણાર્થે સૌને સદ્બુઘ્ઘિ,ઉજ્જવળ ભવિષ્ય,નિરામય જીવનની પ્રાપ્તિના શુભાશયથી કરવામાં આવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]