અમદાવાદ પશ્ચિમ લોકસભા ના ઉમેદવાર દિનેશભાઈએ મણીનગર ખાતે મણીકર્ણિકેશ્વર મહાદેવ ના દર્શન કરી આશિષ મેળવ્યા. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/sr6dr6m6qei5gilc/" left="-10"]

અમદાવાદ પશ્ચિમ લોકસભા ના ઉમેદવાર દિનેશભાઈએ મણીનગર ખાતે મણીકર્ણિકેશ્વર મહાદેવ ના દર્શન કરી આશિષ મેળવ્યા.


લોકસભાની ચૂંટણી ૨૦૨૪ને લઈ ઉમેદવારોની પહેલી યાદી ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરતા અમદાવાદ પશ્ચિમ લોકસભા ના ઉમેદવાર દિનેશભાઈ મકવાણા એ ૨જી માર્ચ ૨૦૨૪ ના રોજ મણીનગર ક્રોસિંગ પાસે મધ્યસ્થ કાર્યાલય ની મુલાકાત લીધી હતી અને ત્યાં ઉપસ્થિત BJP ના તમામ અગ્રણી મહાનુભાવોએ અને હોદ્દેદારોએ દિનેશભાઈ મકવાણા ને શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા,

અમદાવાદ પશ્ચિમ લોકસભા ના ઉમેદવાર દિનેશભાઈ મકવાણા એ તારીખ ૩જી માર્ચ ૨૦૨૪ રવીવારે સાંજે ૫ : ૦૦ કલાકે મણીનગર સ્થિત શ્રી મણીકર્ણિકેશ્વર મહાદેવ આશીર્વાદ લીધા હતા,

આજ રોજ મણીનગર સ્થિત શ્રી મણીકર્ણિકેશ્વર મહાદેવ ખાતે ધર્મેન્દ્રભાઈ શાહ, શહેર પ્રમુખ અમિતભાઈ શાહ, ધારાસભ્ય અમૂલભાઈ ભટ્ટ પૂર્વ ધારાસભ્ય સુરેશભાઈ પટેલ, અસિતભાઈ વોરા, ભૂષણભાઈ ભટ્ટ સહિત, કાઉન્સિલર , યુવા સંગઠન ના યુવાનો, મહિલા મોરચા ની મહિલાઓ અને અમદાવાદ પશ્ચિમના ટીમ BJP ના તમામ હોદ્દેદારો અને કાર્યકરો હાજર જોવા મળ્યા હતા અને સૌ કોઈ એ શ્રી મણીકર્ણિકેશ્વર મહાદેવ ના આશિષ મેળવ્યા હતા.

Report by :- Keyur Thakkar

Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]