લીલીયા દિવ્ય ચેતના આશ્રમે પૂ.વસંત દીદીના આશીર્વાદ મેળવતા ધારાસભ્ય શ્રી કસવાલા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/sixmrmg9aqchc0wx/" left="-10"]

લીલીયા દિવ્ય ચેતના આશ્રમે પૂ.વસંત દીદીના આશીર્વાદ મેળવતા ધારાસભ્ય શ્રી કસવાલા


લીલીયા દિવ્ય ચેતના આશ્રમ ખાતે ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા એ પૂજ્ય વસંત દીદીના આશીર્વાદ મેળવ્યા આશ્રમ ખાતે રાત્રિના સાત કલાકે યોજાયેલ ખોડલધામ સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહી ધારાસભ્ય મહેશભાઈ પ્રથમ બેઠકમાં ઉપસ્થિત ખેડૂત સમાજના આગેવાનો સાથે ખેતી લગતા પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરી હતી. ત્યારબાદ પૂજ્ય વસંત દીદી ને મળી તેમના આશીર્વાદ મેળવ્યા હતા આ તકે પૂજ્ય મીરા દીદી તથા તાજેતરમાં લીલીયા તાલુકા ખોડલધામ સમિતિના નવનિયુક્ત નિમાયેલ કન્વીનર ચતુરભાઈ કાકડીયા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલભાઈ ડો કુંભાણી સરપંચ જીવનભાઈ વોરા ખેડૂત સમાજના આગેવાનો સરદાર પટેલ સોશિયલ ગ્રુપના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]