પડધરીમાં હૃદયરોગના હુમલાથી વધુ એક યુવકનો જીવનદીપ બુઝાયો - At This Time

પડધરીમાં હૃદયરોગના હુમલાથી વધુ એક યુવકનો જીવનદીપ બુઝાયો


પ્રથમ બનાવની વિગતો મુજબ મૂળ બિહારના અને હાલ પરિવાર સાથે પડધરી નારાણાકા ગામે આવેલા વિરાજ પ્લાસ્ટિક નામના કારખાનામાં રહી ત્યાં કામકાજ કરતા સુધીરભાઈ દેવનાથભાઈ રામ નામના ૩૫ વર્ષીય યુવાન ગઈકાલ રાત્રિના નવ વાગ્યાના આસપાસ પોતાના ઘરે હતા ત્યારે તેમને છાતીમાં દુખાવો થતાં તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેનું ટુંકી સારવાર દરમિયાન જ મોત નીપજ્યું હતું. જ્યારે આ મામલે તબીબો દ્વારા પ્રાથમિક ધારણ હૃદય હુમલાનું આપવામાં આવ્યું હતું. વધુ માહિતી વિશે તેમના પરિવારજનોએ જણાવ્યું હતું કે, તેમને હાથની પ્રોબ્લેમ હોવાથી થોડા સમય પહેલા પટનામાં ઓપરેશન કરાવ્યું હતું બાદ તેમની તબિયત સ્થિર થઈ ગઈ હતી.

રિપોર્ટર - નિખીલ ભોજાણી


9998680503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.