મેંદરડા અને ચિરોડા ખાતે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની મન કી બાત કાર્યક્રમ યોજાયો હતો - At This Time

મેંદરડા અને ચિરોડા ખાતે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની મન કી બાત કાર્યક્રમ યોજાયો હતો


મેંદરડા અને ચિરોડા ખાતે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની મન કી બાત કાર્યક્રમ યોજાયો જેમાં બહોળી સંખ્યામાં કાર્યકરો સહિત લોકો ઉપસ્થિત રહ્યા
યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાત કાર્યક્રમ મેંદરડા ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા અનેક સ્થળોએ ટી.વી કાર્યક્રમ યોજાયાં હતાં જેમાં મેંદરડા તાલુકાના ચિરોડા ખાતે પૂર્વ સરપંચ ભરતભાઈ માડમના નિવાસ્થાને જૂનાગઢ જિલ્લા કિસાન મોરચા ઉપપ્રમુખ ડો. બાલુભાઈ કોરાટ તેમજ કાર્યકરો સાથે ઉપસ્થિત રહી મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો
જ્યારે મેંદરડા ગ્રામ પંચાયતના સદસ્ય કીર્તિબેન પરસોત્તમભાઈ ઢેબરીયા ના નિવાસ્થાને મન કી બાત કાર્યક્રમ નિહાળવા જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમર, વેપારીઓ,ખેડૂતો સહિતના ઉપસ્થિત રહી કાર્યક્રમ નિહાળ્યો હતો અને જિલ્લા પ્રમુખ હરેશભાઈ ઠુંમરનું આત કે સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું જેમાં આ વિસ્તારના વેપારી અગ્રણીઓ નવનીત ગરાળા, ખોડીદાસ ગજ્જર,જસમતભાઈ અમીપરા,વિનુભાઈ માથુકીયા, દિપક અમૃતીયા, દિપક ઢેબરિયા,પ્રિતેશ ખુંટ, પંકજભાઈ દુધાત્રા,પરસોત્તમભાઈ ઢેબરીયા,તેજસ સાકરીયા, હિતેશ ગરાળા,રમેશભાઈ ઢેબરિયા, લાલજીભાઈ ઢેબરિયા લોકો સાથે તાલુકા ભાજપ પરિવાર સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા
રીપોર્ટીંગ-કમલેશ મહેતા મેંદરડા


9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.