પાટીદાર શૈક્ષણિક ભવન ખાતે સોમવારનાં રોજ મહારક્તદાન કેમ્પ યોજાશે - At This Time

પાટીદાર શૈક્ષણિક ભવન ખાતે સોમવારનાં રોજ મહારક્તદાન કેમ્પ યોજાશે


પાટીદાર શૈક્ષણિક ભવન ખાતે સોમવારનાં રોજ મહારક્તદાન કેમ્પ યોજાશે

શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ ના પ્રમુખશ્રી નરેશભાઈ પટેલ નું સોમવારના રોજ જન્મદિવસ છે આ જન્મદિવસ અર્થે સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ પટેલ સમાજ દ્વારા સેવાનું ઉમદા કાર્ય થશે જેમાં જસદણમાં આટકોટ રોડ ઉપર આવેલ પાટીદાર શૈક્ષણિક ભવન ખાતે નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે આ કેમ્પમાં નરેશભાઈ નાં ચાહક મિત્રોથી લઈ તમામ સેવકો હજારોની સંખ્યામાં પાટીદાર અગ્રણીઓ જોડાશે અને સેવાના કાર્યમાં પોતાનું અનુદાન આપશે, બ્લડ ડોનેશન કાર્યક્રમ તારીખ 11.07.2022 સોમવારના રોજ સવારે 8:00 થી બપોરે 1:00 કલાક સુધી રહેશે. અને આ કાર્યક્રમમાં જસદણના તમામ નાગરિકોને પધારવા પાટીદાર શૈક્ષણિક ભવનના અગ્રણી દિનેશભાઈ બાંભણિયા, ભરતભાઈ છાયાણી, અને ખોડલધામ જસદણના સમિતિના પ્રમુખ નરેશભાઈ દરેડ,તેમજ મીના બેન પટેલ આમંત્રણ પાઠવેલ છે તેમજ આ કાર્યક્રમમાં આવતા તમામ નાગરિકોને ખોડલધામ સમિતિના તમામ સેવકો આવકારશે.

Report Rasik visavaliya Jasdan 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.