શાંતિનગર મફતિયાપરામાં પિતરાઈ ભાઈએ 15 વર્ષની સગીરાને ભગાડી દુષ્કર્મ આચર્યું - At This Time

શાંતિનગર મફતિયાપરામાં પિતરાઈ ભાઈએ 15 વર્ષની સગીરાને ભગાડી દુષ્કર્મ આચર્યું


શહેરના ખોખડદળ પુલ પાસે આવેલ શાંતિનગર મફતિયાપરામાં પિતરાઈ ભાઈએ 15 વર્ષની સગીરાને ભગાડી દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આજી ડેમ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. 20 વર્ષીય આરોપી સગીરાને દ્વારકા લઈ ગયો હતો, ત્યાં એક દિવસ રાખી ચાર વખત કુકર્મ કર્યું હતું. પરત ઘરે આવેલી સગીરાએ માતાને જણાવતા ગુનો નોંધાયો હતો. આ અંગે મળતી વિગત મુજબ, ભોગ બનનાર સગીરાની માતાએ અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન જીવન દરમિયાન પુત્રીની પ્રાપ્તિ થયેલી. પતિ-પત્ની વચ્ચે મનમેળ ન રહેતા માતા - પુત્રી અલગ રહેવા આવી ગયા હતા. સગીરાના ઘરથી થોડે દુર તેનો પિતરાઈ રામનગરમાં રહેતો હોય, અવારનવાર ઘરે આવન જાવન રહેતી હતી. જેથી આરોપીએ સગીરા પર નજર બગાડી તેને પ્રેમજાળમાં ફસાવી હતી. ફોન પર બંને વચ્ચે વાતો થવા લાગી અને સોશ્યલ મીડિયાના માધ્યમથી ચેટિંગ કરતા. દરમિયાન તા.3ના રોજ બપોરના સમયે સગીરાને લગ્નની લાલચ આપી આરોપી ભગાડી ગયો હતો.
સગીરાની માતાએ શોધખોળ હાથ ધરી હતી પણ 15 વર્ષીય દીકરી મળી આવી નહોતો. દરમિયાન તા.4ના રોજ એટલે કે એક દિવસ બાદ સગીરા સાંજના સમયે ઘરે પરત આવી હતી. જેથી તેની માતાએ પૂછતાં સગીરાએ જણાવેલ કે , તેનો પિતરાઈ ભાઈ તેને દ્વારકા લઈ ગયો હતો. જ્યાં એક જ દિવસમાં સગીરા સાથે ચાર-ચાર વાર દુષ્કર્મ આચર્યું હતું. હકીકત જાણી માતાને આઘાત લાગ્યો હતો. તે તુરંત સગીરાને લઈ આજીડેમ પોલીસ મથકે પહોંચી હતી. જ્યાં માતાની ફરિયાદ પરથી 20 વર્ષીય આરોપી સામે આઇપીસી 363, 366, 376(3), 376(2)એન અને પોકસો એક્ટની કલમ મુજબ ગુનો નોંધી પીઆઈ એલ.એલ. ચાવડા અને તેમની ટીમે આરોપીને ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી કરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.