કોરોનાના દૈનિક કેસમાં ઘટાડો, ગુજરાતમાં કોરોનાના નવા ૫૫૨કેસ,વધુ બે દર્દીનાં મોત થયાં - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/reduction-in-daily-cases-of-corona/" left="-10"]

કોરોનાના દૈનિક કેસમાં ઘટાડો, ગુજરાતમાં કોરોનાના નવા ૫૫૨કેસ,વધુ બે દર્દીનાં મોત થયાં


અમદાવાદ,ગુરુવાર,11
ઓગસ્ટ, 2022ગુજરાતમાં ગુરુવારે કોરોનાના દૈનિક કેસમાં ૧૨૬ કેસનો ઘટાડો
થતાં નવા ૫૫૨ કેસ નોંધાયા હતા.રાજયમાં અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં
કોરોનાના નવા ૧૮૭ કેસ નોંધાયા હતા.અમદાવાદ શહેરમાં અને જામનગર ગ્રામ્યમાં કોરોના
સંક્રમિત એક-એક દર્દીનું મોત થયુ હતું.રાજયમાં એકટિવ કેસની સંખ્યા ઘટીને ૪૯૯૭ થવા
પામી હતી.કુલ બાર દર્દી વેન્ટિલેટર ઉપર 
સારવાર હેઠળ છે.૪૯૮૫ દર્દીની હાલત સ્થિર છે.

અમદાવાદ શહેરમાં કોરોનાના ૧૮૩ અને ગ્રામ્ય વિસ્તારમાં નવા
ચાર કેસ નોંધાયા હતા.વડોદરા કોર્પોરેશન વિસ્તારમાં ૬૨, રાજકોટ
કોર્પોરેશન વિસ્તારમાં ૫૫ જયારે સુરત કોર્પોરેશન વિસ્તારમાં ૩૨ કેસ નોંધાયા
હતા.વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં ૨૬,
સુરત ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના નવા ૧૯ કેસ નોંધાયા હતા.કચ્છમાં ૧૮ જયારે
આણંદ અને જામનગર કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાના અનુક્રમે ૧૩-૧૩ કેસ નોંધાયા  હતા.મહેસાણા અને નવસારીમાં ૧૧-૧૧ કેસ નોંધાયા
હતા.ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાના દસ કેસ નોંધાયા હતા.જામનગર ગ્રામ્ય
વિસ્તારમાં કોરોનાના નવા બે કેસ નોંધાવા ઉપરાંત એક દર્દીનું મોત થયુ હતું.ગુરુવારે
રાજયમાં કોરોનાથી કુલ ૮૭૪ દર્દી સાજા થયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]