ભગવતાચાર્ય કૃષ્ણદાસજી નું સ્વામીશ્રી નિર્દોષાનંદ સ૨સ્વતીજી મહારાજ નાં ‘જીવનચરિતામૃત' ગ્રંથ થી સન્માન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/raag6gersuf91dgu/" left="-10"]

ભગવતાચાર્ય કૃષ્ણદાસજી નું સ્વામીશ્રી નિર્દોષાનંદ સ૨સ્વતીજી મહારાજ નાં ‘જીવનચરિતામૃત’ ગ્રંથ થી સન્માન


ભગવતાચાર્ય કૃષ્ણદાસજી નું સ્વામીશ્રી નિર્દોષાનંદ સ૨સ્વતીજી મહારાજ નાં ‘જીવનચરિતામૃત' ગ્રંથ થી સન્માન

સમઢીયાળા ઇસ્કોન મંદિર અમદાવાદનાં ભાગવતાચાર્ય શ્રીમાન કુંડલ કૃષ્ણદાસજી નાં વ્યાસાસને સમઢીયાળા (ગંગાસતી) મુકામે સુ૨ત સ્થિત હિરા ઉદ્યોગપતિઓ દ્વારા સ્થાપિત “ગંગાસતીજી સેવા ચેરીટેબલ ટ્રસ્ટ” આયોજીત "શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ” માં તા.૨૦.૩.૨૦૨૪ નાં રોજ શ્રી બી.એલ.રાજપરા દ્વારા શાસ્ત્રીજી નું શાલ અને પુસ્તકથી સન્માન ક૨વામાં આવ્યુ હતું. તેમજ કથાનાં યજમાન બાબુભાઈ ડુંગરાણી અને નરેશભાઈ મિયાણી દ્વારા બી.એલ.રાજપરા ને સન્માનિત ક૨વામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી ની તા.૧૮.૩.૨૦૨૪ નાં રોજ ભાગવતાચાર્ય શ્રીમાન કુંડલ કૃષ્ણદાસજી શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. હોસ્પિટલમાં ચાલતા તદ્ન નિઃશુલ્ક આરોગ્યલક્ષી સેવાકાર્યને પ્રત્યક્ષ નિહાળીને ખૂબજ પ્રભાવિત થયા હતા અને તેઓ શ્રીઓનું હોસ્પિટલનાં પૂર્વપ્રમુખ-ખીમજીભાઈ દેવાણી અને ઉપપ્રમુખ-બી.એલ.૨ાજપ૨ા અને મેડીકલ સુપ્રિ. ડો. જયેશ પટેલ સાહેબ દ્વારા હોસ્પિટલના પ્રણેતા સદ્ગુરૂદેવ સ્વામી શ્રી નિર્દોષાનંદ સ૨સ્વતીજી મહારાજ નાં ‘જીવનચરિતામૃત' ગ્રંથ અને શાલ અર્પણ કરીને સન્માનિત ક૨વામાં આવેલ.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]