રાજકોટના સામા કાંઠે લોકડાયરાનું આયોજન, આ વિસ્તારનાં MLA રૈયાણીને આમંત્રણ નહીં, મુખ્ય મહેમાન તરીકે નરેશ પટેલ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/qygqsiew475knvmm/" left="-10"]

રાજકોટના સામા કાંઠે લોકડાયરાનું આયોજન, આ વિસ્તારનાં MLA રૈયાણીને આમંત્રણ નહીં, મુખ્ય મહેમાન તરીકે નરેશ પટેલ


ચૂંટણીના વર્ષમાં જ સમાજમાં બે ફાટા પડતા રાજકીય પાર્ટીને મોટો ફાયદો થશે તેવી ચર્ચા ઉઠી.

વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે રાજકોટમાં પાટીદાર જૂથો સક્રિય થયા હોવાની ચર્ચા લોકોમાં થઈ રહી છે. શહેરના સામા કાંઠા વિસ્તારમાં આજે રાત્રે ચાણક્ય ફાઉન્ડેશન એજ્યકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ આમંત્રણ પત્રિકામાં આ જ વિસ્તારના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી અરવિંદ રૈયાણીનું નામ જ નથી લખવામાં આવ્યું. આથી સમાજના લોકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે. જ્યારે આ લોકડાયરામાં મુખ્ય મહેમાન તરીકે ખોડલધામના ચેરમેન નરેશ પટેલને આમંત્રણ આપવામાં આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]