બોટાદ જિલ્લામાં બરવાળા અને રાણપુર તાલુકાના નાગનેશ ગામ સિવાયના વિસ્તારમાં તા.5 ડિસેમ્બરના રોજ 'જાહેર રજા' રહેશે - At This Time

બોટાદ જિલ્લામાં બરવાળા અને રાણપુર તાલુકાના નાગનેશ ગામ સિવાયના વિસ્તારમાં તા.5 ડિસેમ્બરના રોજ ‘જાહેર રજા’ રહેશે


વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022નાં દ્વિતિય તબક્કાના મતદાન સંદર્ભે બોટાદ જિલ્લાના બરવાળા અને રાણપુર તાલુકાના નાગનેશ ગામ સિવાયના વિસ્તારમાં તારીખ 05/12/2022ના રોજ “જાહેર રજા” રહેશે, તેવું નિવાસી અધિક કલેક્ટરશ્રીએ ફરમાવ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મોટી સંખ્યામાં લોકો મતદાનમાં ભાગ લઈ શકે તે માટે તા. 5નાં રોજ બરવાળા તેમજ રાણપુર તાલુકામાં રજા જાહેર કરવામાં આવી છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.