શ્રી વી. ડી. પટેલ શૈક્ષણિક સંકુલ માંડાવડ ખાતે કવિ કાલિદાસ સંસ્કૃત સાહિત્ય સભા યોજાઈ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/qcr7rvuqba0bmvpy/" left="-10"]

શ્રી વી. ડી. પટેલ શૈક્ષણિક સંકુલ માંડાવડ ખાતે કવિ કાલિદાસ સંસ્કૃત સાહિત્ય સભા યોજાઈ


*કવિ કાલિદાસ સંસ્કૃત સાહિત્ય સભાનું આયોજન થયું
સંસ્કૃત સાહિત્યથી બાળકો પરિચિત થાય અને દેવોની ભાષાને વિલુપ્ત થતી અટકાવવાના પ્રયાસ રૂપે શ્રી વી. ડી. પટેલ શૈક્ષણિક સંકુલ માંડાવડ ખાતે મહાન કવિ કાલિદાસના જીવન ચરિત્ર આધારિત એક સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કાલિદાસના જીવન ચરિત્ર અને કાલિદાસની રચનાઓ મેઘદૂત, અભિજ્ઞાન શાંકુતલમ અને ઋતુસંહાર વિશે વાર્તાલાપ કરવામાં આવેલ.તેમજ શાળાના બાળકો માટે કવિ કાલિદાસ વકૃત્વ સ્પર્ધા યોજાયેલી. જેમાં પ્રથમ નંબરે વાળા રાજેશ્રી, બીજા નંબરે પડશાળા હસ્તી તેમજ તૃતિય નંબરે સાવલિયા પ્રિયાંશી રહેલ.આ સભાનું સંકલન સેજલબેન માંગરોલિયાએ તેમજ નિર્ણાયક તરીકે સોનલબેન ડોબરીયા હતા. તેમજ જેમને ટ્રસ્ટી મંડળ વતી મેનેજીંગ ટ્રસ્ટી જે.કે.ઠેસિયાએ અભિનંદન આપ્યા હતાં. તેમજ પ્રિન્સીપાલ પ્રફુલ વાડદોરીયાએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં સંસ્કૃત સાહિત્યને સંલગ્ન વધુ સભાઓ સાથે બાળકોને સાહિત્યનો પરિચય કરાવવામાં આવશે.

રિપોર્ટ હરેશ મહેતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]