સહપાઠી સગીર છાત્રાને મેળામાં ફરવા લઇ જવાના કારણે છાત્રાનાં પરિવારે સગીરને બેફામ મારમાર્યો અને સગીરનું કરવામાં આવ્યું અપહરણ - At This Time

સહપાઠી સગીર છાત્રાને મેળામાં ફરવા લઇ જવાના કારણે છાત્રાનાં પરિવારે સગીરને બેફામ મારમાર્યો અને સગીરનું કરવામાં આવ્યું અપહરણ


રાજકોટ શહેરના રૈયાધાર મફતીયાપરા રાણીમાં રૂડીમાં ચોક ઇન્દીરાનગરમાં રહેતો ૧૪ વર્ષનો મોહિત કાંતીભાઇ ગેડીયા આઠમના દિવસે તેની સાથે ધો.૧૦ માં અભ્યાસ કરતી રૈયાધાર સ્લમ કવાર્ટરમાં રહેતી પોતાની સહેલીને લઇ મેળામાં ફરવા ગયો હતો. દરમિયાન અહીં સગીરાના પરિવારજનો જોઇ જતા બંને તુરંત ઘરે પરત આવી ગયા હતાં.બાદમાં મોહિતનું તેના ઘર પાસેથી ચાર શખસો રિક્ષામાં અપહરણ કરી ગયા હતાં.

કિશોરને રૈયાધાર સ્લમ કવાર્ટર પાસે લઇ જઇ અહીં કિશોરને યુવતીના પિતા કાંતી મકવાણા તેની માતા હંસાબેન તથા તરૂણીનો મામાનો દીકરા ચિરાગે તું કેમ અમારી દીકરીને મેળામાં લઇ ગયો હતો તું કેમ એની સાથે સંબંધ રાખશ તેમ કહી મોહિતને પાઇપ,લાકડી અને કમર પટ્ટા વડે મારમાર્યો હતો.
આ અંગે કિશોરના પરિવારને જાણ થતા તેના પિતા અશ્ર્વિનભાઇ ગેડીયાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે ધો.૧૦ ના છાત્રનું અપહરણ કરી તેને બેફામ મારમારવા અંગે સગીરાના માતાપિતા તેના ભાઇ અને ચાર અજાણ્યા શખસો સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.