આનંદનગરમાં રૂપિયાની ઉઘરાણી મામલે 12 વર્ષના વિશ્વજીતને પડોશી મહિલાએ માર માર્યો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ooujnjvbfqjg01wh/" left="-10"]

આનંદનગરમાં રૂપિયાની ઉઘરાણી મામલે 12 વર્ષના વિશ્વજીતને પડોશી મહિલાએ માર માર્યો


શહેરના કોઠારીયા રોડ પર આનંદનગર ત્રણ માળીયા ક્વાર્ટરમાં બીજા માળે એફ-9માં ભાડેથી નાનીમા મધુબેન કારીયા સાથે રહેતાં મુળ કેશોદના વિશ્વીત અનિલભાઇ ઠક્કર (ઉ.12)ને પડોશમાં જ રહેતી બે બહેનો સલમા અને શબીરાએ વાંસામાં ઢીકા મારતાં ચાંભા પડી જતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાવામાં આવતાં હોસ્પિટલ ચોકીના કલ્પેશભાઇ સરવૈયાએ ભક્તિનગરમાં જાણ કરી હતી.
વધુમાં વિગત અનુસાર, વિશ્વજીત ચાણક્ય સ્કૂલમાં ધોરણ-9માં અભ્યાસ કરે છે. તેના માતા-પિતા કેશોદ રહે છે અને પોતે દોઢ વર્ષનો હતો ત્યારેથી નાનીમા મધુબેન સાથે રહે છે. તેના નાની મધુબેને જણાવ્યું હતું કે અગાઉ પોતે મીલપરામાં રહેતાં હતાં અને હાલમાં મકાન વેંચ્યું હોઇ આનંદનગરમાં ભાડેથી રહે છે. મધુબેને વધુમાં કહ્યું હતું કે પડોશી સલમા અને શબીરા ખોજા બંને બહેનો છે. તેની સાથે વર્ષોથી પોતાને સારા સંબંધ છે.
આ કારણે અગાઉ આ બંનેને તેણે પાંચ લાખથી વધુની રકમ ઉછીની આપી હતી. આ રકમ હાલમાં પોતે પાછી માંગતા હોઇ બંને બહેનો આપતી નથી અને ઝઘડો કરે છે. ગઇકાલે અમારા બીજા મકાને જમણવાર હોય જેથી તેની ઘરે જમવાનું મોકલ્યું હતું, તેની ઘરે અમારા વાસણ હોઇ તે લેવા માટે મારો દોહિત્ર વિશ્વજીત જતાં આ બંનેએ તારી નાનીને કહી દેજે પૈસા નથી આપવા અને તારે અહિ આવવું નહિ તેમ કહી મારકુટ કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]