શહેરા-અયોધ્યા જતા દિવાનૂ શહેરામા ભવ્ય આગમન,જય શ્રી રામના નારા ગૂજ્યા - At This Time

શહેરા-અયોધ્યા જતા દિવાનૂ શહેરામા ભવ્ય આગમન,જય શ્રી રામના નારા ગૂજ્યા


શહેરા

આગામી 22 મી જાન્યુઆરીના રોજ પ્રભુ શ્રી રામ અયોધ્યાના રામ મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે, ત્યારે રામ મંદિર માટે વડોદરા થી અયોધ્યા સુધી 1100 કિલોનો દીવો જનાર છે.ત્યારે આજરોજ વડોદરાથી આવેલ દીવાનું શહેરાના યુવાનો અને વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

અયોધ્યામાં 22મી જાન્યુઆરીના રોજ ભવ્ય મંદિરમાં ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. સમગ્ર ભારતમાં રહેતા લોકોમાં અનેરો આનંદ છે. ત્યારે વડોદરામાં રહેતા એક ખેડૂતે 1100 કિલો વજન અને 09.15 ફૂટ ઊંચાઈ ધરાવતો દીવો તેમણે રામ મંદિર માટે તૈયાર કરાવ્યો છે.ત્યારે આજરોજ શહેરાના યુવાનો અને વિશ્વ હિન્દૂ પરિષદ કાર્યકર્તાઓએ વડોદરા થી આવેલા 1100 કિલોના દીવા નું પુષ્પગુચ્છ અર્પણ કરીને ભાવભર્યું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ શોભાયાત્રા શહેરાના વાઘજીપુર ચોકડી,તાલુકા પંચાયત કચેરી, મામલતદાર કચેરી આગળ, બસ સ્ટેશન થી પોલીસ ચોકી, લખરા સોસાયટી, સીધી ચોકડી, થઈ અણીયાદ ચોકડી ખાતે વિવિધ સમાજના આગેવાનો દ્વારા દીવા નું સ્વાગત કરવામાં આવ્યું હતું.અને જય શ્રી રામના નારા સાથે શહેરા શહેરના મુખ્ય માર્ગો ભક્તિમય વાતાવરણમાં ગુંજી ઉઠ્યા હતા.

વડોદરા શહેરમાંથી આવેલા 1100 કિલોની દીવાની શોભાયાત્રામાં પંચમહાલ જિલ્લા પોલીસના ડીવાયએસપી પી.આર રાઠોડ, શહેરા પી.આઈ રાહુલ રાજપૂત સહિત ના પોલીસ કર્મીઓ શોભાયાત્રા ના મુખ્ય માર્ગો ઉપર ચુસ્ત બંદોબસ્ત સાથે પોતાની ફરજ નિભાવી હતી.

રિપોર્ટર:- વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.