હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રધાનમંત્રીમાં આવાસ યોજના ઈ, લોકાર્પણ કાર્યક્રમ યોજાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/n2rdb0hmblybvszw/" left="-10"]

હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રધાનમંત્રીમાં આવાસ યોજના ઈ, લોકાર્પણ કાર્યક્રમ યોજાયો


બહોળી સંખ્યામાં લોકો રહ્યા ઉપસ્થિત

હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રધાનમંત્રી ની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આવાસ યોજના ઈ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો સમગ્ર રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના અને આંબેડકર આવાસ યોજનાના આવાસોના લોકાર્પણ અને ખાતમુહૂતનો કાર્યક્રમ યોજાયો, જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના અને આંબેડકર આવાસ યોજનાના મકાનનો સમાવેશ કરવામાં આવ્યો હતો.ધાંગધ્રા હળવદ વિધાનસભા સીટ અન્વયે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાના અધ્યક્ષ સ્થાને માર્કેટિંગ યાર્ડ ખાતે કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમની શરૂઆત સ્વાગત ગીત,દીપ પ્રાગટ્ય કરી લાભાર્થીઓનો પ્રતિભાવ ત્યાર બાદ ઉપસ્થિત મહાનુભાવોનુ પ્રવચન ત્યાર બાદ વચૅયુલ લોકાર્પણ અને ખાતમુહૂર્ત આને શોટૅ ફિલ્મ નું પ્રદર્શન યોજાયું.આ પ્રસંગે હળવદ ધ્રાંગધ્રા ના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, રણછોડભાઈ દલવાડી મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ,હળવદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન રજનીભાઈ સંઘાણી.હળવદ શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ, તાલુકા ભાજપ પ્રમુખ મનસુખભાઇ પટેલ, માર્કેટીંગ યાર્ડ ના પુવૅ ચેરમેન રણછોડભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ પ્રવિણભાઈ સરાવડીયા, નરેન્દ્રસિંહ રાણા, રમેશભાઈ ભગત, ધાંગધ્રા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ, નંદલાલ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.ધાંગધ્રા પ્રાંત અધિકારી હષૅદીપ આચાર્ય, મેહુલ સિંધવ તાલુકા વિકાસ અધિકારી,તુષાર ઝાલોરીયા ચીફ ઓફિસર,એમ,જે,પરમાર મામલતદાર હળવદ,હળવદ વહીવટી તંત્ર ના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]