અમદાવાદમાં ભગવાન પરશુરામ જન્મોત્સવ ૨૦૨૪ ની શોભાયાત્રા પહેલાં બ્રહ્મસમાજ દ્વારા ખાસ બેઠક નું આયોજન. - At This Time

અમદાવાદમાં ભગવાન પરશુરામ જન્મોત્સવ ૨૦૨૪ ની શોભાયાત્રા પહેલાં બ્રહ્મસમાજ દ્વારા ખાસ બેઠક નું આયોજન.


મળતી માહિતી મુજબ બ્રાહ્મણ કુળના આરાધ્યદેવ ભગવાન પરશુરામ ના જન્મોત્સવ નિમિતે અને બ્રાહ્મણ કુળની તમામ જ્ઞાતિઓ ની એકતાના દર્શન કરાવવા માટે કર્ણમૂતેશ્વર મહાદેવ સારંગપુર અમદાવાદ થી દર વર્ષની જેમ પરંપરાગત રીતે ભગવાન પરશુરામ ની શોભયાત્રા નું આયોજન તારીખ ૧૦ મે ૨૦૨૩ ના રોજ કરવામાં આવેલ છે

અમદાવાદ ખાતે સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ દ્વારા આયોજીત ભગવાન પરશુરામ ની જન્મતિથિ એ દર વર્ષ ની પરંપરા મુજબ શોભાયાત્રા ના આયોજન અર્થે આવતી કાલે ખાસ બેઠક તારીખ ૨૯ એપ્રિલ ૨૦૨૪ ના રોજ... ૫૦૧, અમૃતા આર્કેડ જેડબલ્યુ ની ઉપર, રસના રેસ્ટોરન્ટની બાજુમાં મણીનગર ચાર રસ્તા, અમદાવાદ ખાતે રાત્રે ૯:૦૦ કલાકે રાખવામાં આવેલ છે,

આ બેઠકમાં અમદાવાદ શહેરના દરેક વિભાગ ના પ્રમુખ, મહામંત્રી, મહિલા પ્રમુખ યુવા પ્રમુખ તેમજ વરિષ્ઠ અને સામાજીક આગેવાનો એ ખાસ ઉપસ્થિત રહી સૌ બ્રાહ્મણ જ્ઞાતિબંધુઓ તથા બ્રાહ્મણ જ્ઞાતિ ના તમામ સંગઠનો સાથે મળી આવનાર દિવસોમાં ભગવાન પરશુરામની જન્મતિથિ ની શોભયાત્રાને આયોજન બધ્ધ અને ભવ્ય થી અતિભવ્ય બનાવવાના સંકલ્પ અર્થે એકત્ર થશે.

આ ૨૯ એપ્રિલ ની બેઠકમાં ભગવાન પરશુરામની શોભયાત્રાના આયોજન વિષે ખાસ ચર્ચા વિચારણા અને અગત્યના નિર્ણયો અર્થે ઉપરોકત જણાવેલ અપેક્ષિત શ્રેણી ના અગ્રણી મહાનુભાવો એ ખાસ હજાર રહેશે

સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (અમદાવાદ શહેર)

Report by :- Keyur Thakkar

Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.