શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને પવિત્રાનો દિવ્ય શણગાર દિવ્ય સત્સંગ એવં વિશ્વશાંતિ હનુમાન ચાલીસા અને હનુમંત મંત્ર યજ્ઞ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/mxesveqwf3zcma6p/" left="-10"]

શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને પવિત્રાનો દિવ્ય શણગાર દિવ્ય સત્સંગ એવં વિશ્વશાંતિ હનુમાન ચાલીસા અને હનુમંત મંત્ર યજ્ઞ


શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્રા એકાદશી પવિત્ર શ્રાવણ માસ સોમવાર નિમિતે તા.08-08-2022ને સોમવારના રોજ પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની શુભ પ્રેરણાથી એવં કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી એવં પૂજારી સ્વામીની મહેનતથી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય શિવ સ્વરૂપના વાઘા- પવિત્રાનો શણગાર ધરાવવામાં આવેલ તથા સવારે 5:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી (અથાણાવાળા)દ્વારા કરવામાં આવેલ. ત્યારબાદ સ્વામીજી દ્વારા પ્રસાદીભૂત શ્રી નિલકંઠ મહાદેવજી મંદિરમાં પૂજન-અભિષેક-આરતી કરવામાં આવેલ.
પવિત્ર શ્રાવણ માસ નિમિતે વિશ્વશાંતિ હનુમાન ચાલીસા અને હનુમંત મંત્ર યજ્ઞ અંતર્ગત પવિત્ર બ્રાહ્મણો દ્વારા મંત્રો- યજ્ઞ-પૂજા પાઠ કરવામાં આવેલ. દિવ્ય સત્સંગના શ્રવણ- દર્શનનો હરિભક્તોએ લઈ ધન્યતાનો અનુભવ કરેલ.

રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]