દહેગામ તાલુકાના કંથારપુરા ગામમાં કુતરાએ વાંદરા પર હુમલો કરતા ઈજાગ્રસ્ત થયેલ વાંદરાને પશુપ્રેમીઓ દ્વારા બચાવી લેવાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/mkxsdzb3e0zqxy6n/" left="-10"]

દહેગામ તાલુકાના કંથારપુરા ગામમાં કુતરાએ વાંદરા પર હુમલો કરતા ઈજાગ્રસ્ત થયેલ વાંદરાને પશુપ્રેમીઓ દ્વારા બચાવી લેવાયો


દહેગામ તાલુકાના કંથારપુરા ગામના પશુપ્રેમીઓ દ્વારા એક ઈજાગ્રસ્ત વાંદરાને બચાવી લઇ પશુઓ પ્રત્યે અનોખું ઉદાહરણ બતાવ્યું છે જેમાં આજે કંથારપુરા ગામમાં એક કુતરા દ્વારા અચાનક એક વાંદરા પર હીંચકારો હુમલો કરતા વાંદરો ઈજાગ્રસ્ત થયો હતો જેથી તેને ચાલવામાં તકલીફ થતી હોવાથી અન્ય બીજા કુતરાના ટોળાં દ્વારા હુમલો કરવામાં આવતા તે લોહીલુહાન હાલત માં થઇ જતા ગામના એક યુવાન દ્વારા અન્ય યુવાનોને બોલાવી આ ઈજાગ્રસ્ત વાંદરાને બચાવી લઇ પકડી અને પશુ એમ્બ્યુલસ બોલાવી સારવાર કરાવી હતી જેથી વાંદરાને રાહત મળતા આ પશુપ્રેમીઓ દ્વારા રાહત નો શ્વાસ લીધો હતો. આ વાંદરાને બચાવી સરાહનીય કામ કરતા આ યુવાનોને ચારેકોર પ્રશંસા થઇ રહી છે.


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]