દહેગામ ના નાંદોલ ખાતે વારાહી માતાજીના મંદિરનો ચોથો પાટોત્સવ ધામધૂમથી યોજાયો. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ibb8g7rwdlhvolrg/" left="-10"]

દહેગામ ના નાંદોલ ખાતે વારાહી માતાજીના મંદિરનો ચોથો પાટોત્સવ ધામધૂમથી યોજાયો.


આજરોજ દહેગામ તાલુકાના નાંદોલ ગામમાં આવેલા વારાહી માતાજીના મંદિરે ચોથો પાટોત્સવ યોજાયો.
ગામની પ્રજા એ વેદ મંત્રોચાર સાથે નવચંડી યજ્ઞ અને વારાહી માતાજી ના દર્શનનો લાભ લીધો.. ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું.સવાર થી જ હવન,સાંજે મહા પ્રસાદ અને રાત્રે રાસ ગરબા નું આયોજન વારાહી યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું.
ગામના તમામ સમાજના લોકો આ મંદિરે આજે દર્શન કરવા આવ્યા હતા.

વારાહી માતાજી ના પાટોત્સવ ના તમામ દાતા શ્રી ઓ ખુબ ખુબ આભાર માનવામાંઆવ્યો હતો..

નાંદોલ ગામની જનતા નિરોગી રહે ગામ મા તમામ પ્રકારે સુખ. શાંતિ સમૃદ્ધિ રહે તે માટે વારાહી માતાજી ને પ્રાથના કરવામાં આવી હતી....
આ પ્રસંગે ગામ સરપંચ શ્રી મંજુલાબેન વિનોદચંદ્ર પટેલ. નાંદોલ સેવા સહકારી મંડળી ચેરમેન શ્રી વિનોદચંદ્ર.એચ.પટેલ. જીલ્લા સદસ્ય.શ્રી.ગુણવંત સિંહ ચાવડા. ગ્રામ પંચાયત સદસ્યો. સામાજિક અગ્રણીઓ , હાજર રહ્યા હતા.


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]