સોમનાથના દરિયાકિનારે “સ્વચ્છ સાગર, સુરક્ષિત સાગર” સમુદ્ર તટ સફાઈ દિનની થઈ ઉજવણી* - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/lgm0ucgfakjiyryp/" left="-10"]

સોમનાથના દરિયાકિનારે “સ્વચ્છ સાગર, સુરક્ષિત સાગર” સમુદ્ર તટ સફાઈ દિનની થઈ ઉજવણી*


*સોમનાથના દરિયાકિનારે “સ્વચ્છ સાગર, સુરક્ષિત સાગર” સમુદ્ર તટ સફાઈ દિનની થઈ ઉજવણી*
-----------
*વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે જ પર્યાવરણને મળી ભેટ, કરાયું ઘઉંમાંથી બનેલી બાયોડિગ્રેબલ સ્ટ્રો ‘પુસાસૃજન’નું નિદર્શન*
----------
*પ્લાસ્ટિકની સ્ટ્રોનો ઉત્તમ વિકલ્પ સાબિત થશે બાયોડિગ્રેબલ સ્ટ્રો, ગરમ તેમજ ઠંડાપીણાંમાં થશે ઉપયોગી*
--------
*ગીર સોમનાથ, તા.૧૭:* "સ્વચ્છ સાગર સુરક્ષિત સાગર અભિયાન"ના ઉપક્રમે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિને સોમનાથના દરિયાકિનારાની સફાઈ માટેનું આયોજન થયું હતું. આ સફાઈ અભિયાનમાં વેરાવળ નગરપાલિકા પ્રમુખ શ્રી પિયૂષભાઇ ફોફંડી, જિલ્લા કલેકટર શ્રી રાજદેવસિંહ ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવિન્દ્ર ખતાલે સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ અને મહાનુભાવો જોડાયા હતાં. આ કાર્યક્રમમાં બાયોડિગ્રેબલ સ્ટ્રોનું પણ નિદર્શન કરાયું હતું. જેમાં રહેલા વિશિષ્ટ ગુણધર્મોના કારણે પર્યાવરણ માટે તદ્દન સાનુકૂળ સ્થિતિનું નિર્માણ કરે છે.

કેન્દ્રીય અર્થ સાયન્સ મંત્રાલયના નેજા હેઠળ સમગ્ર દેશમાં યોજાયેલા આ કાર્યક્રમની શ્રૃંખલાના ભાગરુપે આ અભિયાન હેઠળ મહાનુભાવો તેમજ વિવિધ સંસ્થાઓના વિદ્યાર્થીઓએ દરિયાકિનારાને સ્વચ્છ રાખવા અંગેના શપથ લીધા હતાં અને સ્વચ્છ સાગર સુરક્ષિત સાગરનો સંદેશ આપવામાં આવ્યો હતો અને સિંગલ પ્રોડક્ટ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટે તે અંગે ધર્મભક્તિ જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા જાગૃતિ નાટક પણ ભજવાયું હતું.

આ તકે જિલ્લા કલેકટર શ્રી રાજદેવસિંહ ગોહિલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પ્રકૃતિનો દુશ્મન માનવી જ છે. અહીં માનવી દ્વારા જ દરિયા કિનારે પ્લાસ્ટિકના પેકેટ, માંડવીના બીના છોતરા વગેરે જેવો કચરો જ્યાં-ત્યાં ફેંકવામાં આવે છે. સોમનાથ એ મોટું તીર્થક્ષેત્ર છે. જ્યાં દેશ વિદેશથી લોકો ફરવા માટે આવે છે પ્રકૃતિને નજીકથી માણવાની અને તેની જાળવણી કરવાની વૃત્તિ બાળકોમાં અને વિદ્યાર્થીઓમાં પહેલાથી જ આવવી જોઈએ. આ કેમ્પેઈન માત્ર એક દિવસ માટે નથી. કચરાથી દરિયા કિનારો તેમજ આપણું શહેર પણ મુક્ત રહે તે અંગે હંમેશા પ્રયત્ન કરવા જોઈએ અને દરેકે પ્રતિજ્ઞા લેવી જોઈએ કે જો કચરો હશે તો હું હંમેશા તેને ડસ્ટબીનમાં જ નાખીશ.

નોંધનીય છે કે, "વિશ્વ સાગર કિનારા સ્વચ્છતા દિવસ" ની ઉજવણીના ભાગરુપે દરિયાઈ વિસ્તારને આવરી લઇ દરિયાકિનારાની સફાઈ હાથ ધરવામાં સવારે ૮.૦૦ કલાકેથી ભારતીય તટરક્ષક દળ, NSS તેમજ સીમાજાગરણ મંચના પ્રતિનિધીઓ વિદ્યાર્થીઓ, વિવિધ જૂથ અને પદાધિકારીઓ સહિતના સ્થાનિક આગેવાનોએ પણ જહેમત ઉઠાવી હતી. આ અભિયાન દરમિયાન ધાર્મિક, સમાજસેવી સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ નાગરીકોના સહકારથી સોમનાથના દરિયાકિનારાને સ્વચ્છ કરવાનો સહિયારો પ્રયાસ કરવામાં આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]