સુરેન્દ્રનગર લોકસભા સીટ ઉપર ખેડૂત સંગઠનો તેઓનો અપક્ષ ઉમેદવાર ઉતારશે મેદાનમાં - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ksltxv9eberys6sa/" left="-10"]

સુરેન્દ્રનગર લોકસભા સીટ ઉપર ખેડૂત સંગઠનો તેઓનો અપક્ષ ઉમેદવાર ઉતારશે મેદાનમાં


*ખેડૂતો સંગઠનો ની સહમતી થી ખેડૂત આગેવાન જે.કે.પટેલ ચુટણીમાં ઉમેદવારી નોંધાવશે*

સુરેન્દ્રનગર લોકસભા માં હાલ સુધી ભાજપ કોગ્રેસ ના કોઈ ઉમેદવાર નું નામ નિશ્ચિત થયું નથી બંને પક્ષમાં કોકડું ગુંચવાયુ હોય ત્યારે તાજેતરમાં જ ખેડૂત સંગઠનો ના આગેવાનો ની એક મિટિંગ માં સુરેન્દ્રનગર લોકસભા સીટ ઉપર ખેડૂત આગેવાનો અને ખેડૂતોવતી એક ઉમેદવાર ચુટણી મેદાનમાં ઉતારવામાં આવશે તેમાં સહમતી થી ખેડૂત આગેવાન જે.કે.પટેલ ઉમેદવારી નોંધાવી શકે છે તેમ જણાવ્યું હતું જે.કે.પટેલ ઘણા વર્ષો થી ગુજરાત ભર માં ખેડૂતો ના પ્રશ્ને સતત અવાજ ઉઠાવતા રહે છે તેમાં તેઓએ ખેડૂતો ને ન્યાય પણ અપાવેલ છે હાલ તેઓ દિલ્હી આંદોલન સમિતિ ના પણ સભ્ય પદ નિભાવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા માં ખેડૂત સંગઠન મજબૂત રીતે કામ કરી રહ્યું સંગઠન શક્તિ નો પરચો ગત વિધાનસભા ચુટણીમાં ખેડૂતો એ બતાવી દિધેલ છે ત્યારે લોકસભા સીટ માં પણ ખેડૂતો એ લડી લેવાનો મુડ બનાવી લીધો છે ત્યારે સહમતી થી એક જ નામ જે.કે.પટેલ નું આગળ થતા તેઓ આવનાર લોકસભા ની ચુંટણીમાં મેદાનમાં ઉતરશે જે.કે.પટેલ નર્મદાના નીર કેનાલો વિજપોલ પાકવિમો એમ.એસ.પી. બાબતે સતત લડત આપતા હોય ત્યારે ખેડૂતો નો એક અવાજ બની ઉભરી આવ્યા છે ત્યારે તેઓની ઉમેદવારી ને લ‌ઈ રાજકીય હલચલ મચી જવા પામી છે

અહેવાલ, જેસીંગભાઇ સારોલા
બિઝનેસ પાર્ટનર,, રણજીતભાઇ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]