નવરાત્રિમાં ભાજપ વિધાનસભા ચૂંટણીના ‘શ્રી ગણેશ’ કરશે, દરેક જિલ્લા અને મહાનગરમાં મીડિયા સેન્ટર શરૂ કરશે - At This Time

નવરાત્રિમાં ભાજપ વિધાનસભા ચૂંટણીના ‘શ્રી ગણેશ’ કરશે, દરેક જિલ્લા અને મહાનગરમાં મીડિયા સેન્ટર શરૂ કરશે


ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થવાને આડે હવે ગણતરીનો સમય જ બાકી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યારે જિલ્લા સ્તરેથી ચૂંટણીમાં પ્રચાર અને પ્રસાર કરવામાં સરળતા ખાતર ભાજપ ફરીથી ચાલુ વખતે પણ મીડિયા સેન્ટરની શરૂઆત કરવા જઈ રહ્યું છે.

અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિતનાં મહાનગર ખાતે તેમજ જિલ્લા સ્તરે સ્થાપેલા કમલમ્ કાર્યાલય ખાતે મીડિયા સેન્ટરની વ્યવસ્થા શરૂ કરવામાં આવશે. આ વ્યવસ્થા શરૂ કરવા પાછળનો હેતુ એ છે કે દરેક જિલ્લામાં પરિસ્થિતિ અને અલગ ઘટનાઓ બનતી હોય છે. આવા સંજોગોમાં સ્થાનિક સ્તરેથી જ મીડિયા સાથે સરળતાથી સંપર્ક સાધવા માટે ભાજપ મીડિયા સેન્ટર શરૂ કરી રહ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.