જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં કાશ્મીરી હિંદુની ગોળી મારીને હત્યા - At This Time

જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં કાશ્મીરી હિંદુની ગોળી મારીને હત્યા


નવી દિલ્હી,તા. 16 ઓગસ્ટ 2022, મંગળવાર  કાશ્મીરમાં પહેલાથી જ ટાર્ગેટ કિલિંગના કારણે ડરનો માહોલ છે. ત્યાં ફરી એકવાર જમ્મુ-કાશ્મીરના શોપિયામાં 1 કાશ્મીરી હિંદુની આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી છે. આ ઘટના સાથે ફરી કાશ્મીરી હિંદુઓએ સરકારને સુરક્ષા માટે અપીલ કરી છે. આ ઘટનાને લઇને કાશ્મીર પોલીસે જણાવ્યું હતું કે, શોપિયાંમાં એક સફરજનના બગીચામાં આતંકવાદીઓ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેમાં 1 નાગરિકનું મોત થયું હતું અને અન્ય એક ઘાયલ થયો હતો. ટાર્ગેટ કિલિંગનો ભોગ બનનારા આ બંને કાશ્મીરી હિંદુ  છે. થોડા સમયથી કાશ્મીરી હિંદુઓની ટાર્ગેટ બનાવીને હત્યા પર ઘણી રાજનીતિ પણ થઈ છે. મોટાભાગના પક્ષો આ મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરતા જોવા મળી રહ્યા છે.કાશ્મીર પોલીસે  આ અંગે ટ્વીટ કર્યું કે , "શોપિયનના ચોટીપોરા વિસ્તારમાં સફરજનના બગીચામાં આતંકવાદીઓએ નાગરિકો પર ગોળીબાર થયો હતો, જેમા 1 વ્યક્તિનું મોત અને 1 ઘાયલ થયો છે. ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બંને વ્યક્તિ લઘુમતી સમુદાયના છે.
આ પણ વાંચો : ત્રણ દાયકા પછી કાશ્મીરી પંડિતોની ઘરવાપસી સફળ થશે ખરી?


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.