રીસામણે આવેલી પત્નીને તેડવા આવેલા યુવકનો ફાંસો ખાઇ આપઘાત - At This Time

રીસામણે આવેલી પત્નીને તેડવા આવેલા યુવકનો ફાંસો ખાઇ આપઘાત


ઠકકરબાપા નગરમાં રીસામણે આવેલી પત્નીને તેડવા આવેલા સાયલા પંથકના યુવકે 5ત્ની સાથે ઝઘડો થતા ફાંસો ખાઇ આપઘાત કરી લેતા 7 પુત્રીઓએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ ગઇ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ મુળ સાયલાના મોટા કેરાળા ગામના વતની વિનુભાઇ કાનાભાઇ બારૈયા (ઉ.વ.30)ની પત્ની રાજકોટમાં ઠકકરબાપા નગર, હરીજનવાસમાં માવતરે રીસામણે હોય જેમને ૧પ દિવસ પહેલા તેડવા માટે તે સાસરીયે આવ્યો હતો. દરમ્યાન આજે સવારે તેમના સસરાના ઘરે પંખાના હુકમાં ચુંદડી બાંધી ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે પરિવારને જાણ થતા તાત્કાલીક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબોએ તપાસી તેમને મૃત જાહેર કર્યો હતો.
બનાવ અંગે જાણ થતા પ્ર.નગર પોલીસ મથકનો સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. વધુમાં મળેલ વિગત મુજબ મૃતકના આઠેક વર્ષ પહેલા ઠકકરબાપા નગરમાં રહેતી રિધ્ધિબેન સાથે લગ્ન થયા હતા. તેઓને સંતાનમાં 7 પુત્રી છે. મૃતક બેરોજગાર હોય, કોઇ કામધંધો કરતો ન હોય જેથી તેમની પત્ની રીસામણે ચાલી આવતા તેને તેેડવા માટે અહીં આવ્યો હતો. બાદમાં તે દારૂ પીવાની કુટેવ ધરાવતો હોય જેથી તેની પત્ની સાથે ઝઘડો થતા અંતિમ પગલુ ભર્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. બનાવથી પરિવારમાં કાળો કલ્પાંત છવાયો હતો.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.