અહિંસા પરમો ધર્મના મંત્ર સાથે સૂર્યમુખી ધૂન મંડળ દામનગર ના સ્વયમ્ સેવકોએ ગાયમાતા અને પક્ષીઓની - At This Time

અહિંસા પરમો ધર્મના મંત્ર સાથે સૂર્યમુખી ધૂન મંડળ દામનગર ના સ્વયમ્ સેવકોએ ગાયમાતા અને પક્ષીઓની


અહિંસા પરમો ધર્મના મંત્ર સાથે સૂર્યમુખી ધૂન મંડળ દામનગર ના સ્વયમ્ સેવકોએ ગાયમાતા અને પક્ષીઓની ચણ માટે અનાજ અને ભેટ સ્વીકારી. દામનગર થી નજીક આવેલ દહીંથરા ગૌશાળામાં બિનવારસી ગૌમાતા અને ઘાયલ પશુ - પક્ષીઓની સ્વજન સંસ્થામાં અભયદાન આપવામાં આવી રહ્યું છે. આ સંસ્થાને સહાયરૂપ અને મદદ કરવાના શુભ હેતુ થી શ્રી સૂર્યમુખી ધૂન મંડળ દામનગર ના સ્વયમ્ સેવકો છેલ્લા ૧૫ વર્ષથી ઉતરાયણ પર્વ પર દામનગર શહેરમાં દરેક વિસ્તારોમાં ફરીને અનાજ અને યથા શક્તિ ભેટ મેળવી ગાય માતાઓની તેમજ પશુ પક્ષીઓની સેવા માટે મળેલ ભેટ અર્પણ કરી આનંદ - ઉલ્હાસ અને પ્રેમ પૂર્વક કરુણા ભાવ થી અત્યંત સંતોષ સાથે ધન્યતા અનુભવે છે. ( તસવીર - અહેવાલ = અતુલ શુક્લ.)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.