સરકારી વિનયન અને વાણિજય કૉલેજ, જાદરમાં કવિ ઉમાશંકર જોશી જયંતીની ઉજવણી સરકારી વિનયન અને વાણિજય કૉલેજ, જાદરમાં કવિ ઉમાશંકર જોશી જયંતીની ઉજવણી ગુજરાતી વિભાગ દ્વારા તા.૨૧/૦૭/૨૨ ના
સરકારી વિનયન અને વાણિજય કૉલેજ, જાદરમાં કવિ ઉમાશંકર જોશી જયંતીની ઉજવણી
સરકારી વિનયન અને વાણિજય કૉલેજ, જાદરમાં કવિ ઉમાશંકર જોશી જયંતીની ઉજવણી ગુજરાતી વિભાગ દ્વારા તા.૨૧/૦૭/૨૨ ના રોજ કરવામાં આવી હતી. જ્ઞાનપીઠ પુરસ્કૃત કવિ ઉમાશંકર જોશીની ૧૧૧ મી જયંતી નિમિત્તે ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ. એ.એ.શેખ દ્વારા કવિના સાહિત્ય વિશે પરિચય આપવામાં આવ્યો હતો. અને શ્રી જનકભાઈ વણકરે કવિના જીવન વિશે વિદ્યાર્થીઓને વાકેફ કર્યા હતા. આ ઉપરાંત વિદ્યાર્થીઓએ કવિની રચનાઓનું પઠન કર્યું હતું. આજના આ પ્રસંગે કૉલેજ લાઈબ્રેરી દ્વારા વિદ્યાર્થીઓ આ સારસ્વતના પુસ્તકો જોઈ જાણી શકે એ માટે પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. કૉલેજના પ્રિન્સિપાલ ડૉ. કે.જી.પટેલ સાહેબ દ્વારા સૌને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.