વડનગર થી વલસાડ ટ્રેન ખેરાલુ સુધી લંબાવવા તથા રીઝવેશન કાઉન્ટર ચાલુ કરવા માટે પ્રજાજનો ની માંગ ઉઠી રહી છે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/j573ggujbuncusxh/" left="-10"]

વડનગર થી વલસાડ ટ્રેન ખેરાલુ સુધી લંબાવવા તથા રીઝવેશન કાઉન્ટર ચાલુ કરવા માટે પ્રજાજનો ની માંગ ઉઠી રહી છે


વડનગર થી વલસાડ ટ્રેન ખેરાલુ સુધી લંબાવવા તથા રીઝવેશન કાઉન્ટર ચાલુ કરવા માટે પ્રજાજનો ની માંગ ઉઠી રહી છે

ખેરાલુ તથા સતલાસણા વિસ્તાર ની પ્રજાજનો વડનગર થી વલસાડ ખેરાલુ સુધી લંબાવવામાં આવે તેવી પ્રજાજનો આતુરતા થી રાહ જોઈ રહી છે.

વડનગર થી વલસાડ ટ્રેન ખેરાલુ સુધી લંબાવવા અને રીઝવેશન કાઉન્ટર ચાલુ કરવા માટે વારંવાર રજૂઆત કરવા છતાં ઓરમાયું વર્તન તેમાં ખેરાલુ વિધાનસભા ક્ષેત્રમાં નહિવત રેલવે સેવા છે. પરંતુ ખેરાલુ સતલાસણા વિસ્તારમાં ધણાં ખરાં મુસાફરો અમદાવાદ સુરત વલસાડ વગેરે સ્થળો પોતે ધંધા અર્થે રહેશે તેથી આ વિસ્તાર ના મુસાફરો ને રેલવે સુવિધા મળે તે માટે ખેરાલુ તાલુકાના રેલવે અને રોડ પેસેન્જર એસોસિયેશન તથા ખેરાલુ શહેર ભાજપ ઉપપ્રમુખ એ મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશ રાજગોર તથા જીલ્લા પ્રભારી ને વર્ષા જોષી ને રેલવે ખેરાલુ સુધી લંબાવવામાં તથા રીઝવેશન કાઉન્ટર ચાલુ કરવા માટે પરીપત્ર દ્વારા રજૂઆત કરી હતી. અનેક વાર રજૂઆત કરવા છતાં તંત્ર નિદ્રાધીન અવસ્થામાં જોવા મળે છે તો ખેરાલુ સતલાસણા વિસ્તારના પ્રજાજનો આતુરતા થી રાહ જોઈ રહ્યા છે કે ક્યારે નેતાઓ તથા રેલવે તંત્ર કયારે જાગશે તે રાહ જોઈ રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]