સરલા ગામે વીજતાર તુટી પડયો ત્રણ ભેંસ નાં કમકમાટીભર્યા મોત - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/j3a8eayna4qwjffq/" left="-10"]

સરલા ગામે વીજતાર તુટી પડયો ત્રણ ભેંસ નાં કમકમાટીભર્યા મોત


*સરલા માં વીજતાર તૂટતાં ત્રણ ભેંસ નાં કમકમાટીભર્યા મોત*

મુળી તાલુકાનાં સરલા ગામે સવારે જ્યોતિગ્રામ યોજના હેઠળ ની લાઈનના વીજતાર તુટી પડયો હતો જેમાં નીચે ચાલી જતી ત્રણ ભેંસ નાં કમકમાટીભર્યા મોત નીપજયા હતા વીજતાર નાં તુટી પડવાનાં બનાવો રોજબરોજ બની રહ્યા છે ત્યારે ખેડૂતો હવે આ બેદરકારી નાં કારણે નુકસાન ભોગવવું પડે છે ત્યારે ત્રણ ભેંસ નાં મોત થી અંદાજે બે લાખ રૂપિયા નું નુકસાન ખેડૂતો ને થયું છે અને માનવ દુર્ઘટના ટળી છે ત્યારે મુળી તાલુકાનાં ગામોમાં જ્યોતિગ્રામ યોજના પશુપાલકો ને જ્યોત બુઝાવવાનુ કામ કરતી યોજના બની ચૂકી છે ત્યારે આ બાબતે મુળી વિજ કચેરી ખાતે જાણ કરવામાં આવી છે અને પી.એમ.ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે ખેડૂતો ને વળતર મળી રહે અને રાહત થાય તે માટે કાર્યવાહી કરવામાં આવશે તેમ વિજ અધિકારીઓ એ જણાવ્યું હતું
*રામકુભાઈ કરપડા મુળી*
9825547085


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]