શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ આયોજીત શ્રીબાલુડા ઘનશ્યામમહારાજનો ૧૮મો દિવ્ય પાટોત્સવ પરમ પૂજય સદ્ગુરુ શાસ્ત્રીશ્રી ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામી(પુજ્ય ગુરુજી)ની પ્રેરણા અને શુભ આશીર્વાદથી - At This Time

શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ આયોજીત શ્રીબાલુડા ઘનશ્યામમહારાજનો ૧૮મો દિવ્ય પાટોત્સવ પરમ પૂજય સદ્ગુરુ શાસ્ત્રીશ્રી ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામી(પુજ્ય ગુરુજી)ની પ્રેરણા અને શુભ આશીર્વાદથી


તારીખ 21-11-2022 સોમવારના રોજ
અતિદિવ્યતા પૂર્વક ઉજવ્યો.શ્રી લોયાધામના આજુ બાજુ ગામના ભક્તો આ પ્રસંગનો લાભ પ્રાપ્ત કરવા માટે ઉમટી પડ્યા.પ્રાત:કાળે શ્રીબાલુડા ઘનશ્યામમહારાજનો દિવ્ય અભિષેક અને બપોરે ૧૨ કલાકે અન્નકૂટ આરતીના દર્શન કરીને સૌ ભાવિક ભક્તોએ ધન્યતા અનુભવી.
આ પ્રસંગેને અનુલક્ષીને પૂજ્ય સંતોએ સદગુરુ શ્રી પ્રેમાનંદ સ્વામી કૃત ." વળી વખાણું લીલા લોયા ગામની, સુણતાં શ્રવણે પાતક પ્રલય થાય જો." આ ભગવાન સ્વામિનારાયણની લીલા સભર કીર્તન પર શ્રીલોયાધામની લીલાચરિત્રકથાનું ભક્તોને રસપાન કરાવ્યું હતું.
પૂજ્ય સંતોએ જણાવ્યું હતું કે ભગવાનના ચરિત્રો ભવસાગર તરવા માટેનું જહાજ છે. શ્રીલોયાધામના ચરિત્રોનું શ્રવણકરીને સૌ ભક્તો ખુબ જ આનંદિત પામ્યા હતા.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.