લુણાવાડાથી અંબાજી પગપાળા જતા પદયાત્રીઓ 52 ગજની ધજા લઈને અંબાજી પહોચ્યા - At This Time

લુણાવાડાથી અંબાજી પગપાળા જતા પદયાત્રીઓ 52 ગજની ધજા લઈને અંબાજી પહોચ્યા


પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમે વિશાળ મેળો ભરાય છે. જ્યાં દૂર દૂરથી હજારો માઈભક્તો પોતાની મનોકામના લઈને પગપાળા રથ ધજાઓ લઈને મા અંબાના ધામમાં આવે છે. ત્યારે મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેરના પારેખ વાડ યુવક મંડળના વિશાલ સોલંકી, નિમેષ પરમાર, સોનુ સિંધી, તન્મય પટેલ સહિતના યુવાનો આ વર્ષે લુણાવાડાથી ભાદરવા સુદ ચોથના દિવસે બોલ માંડી અંબે જય જય અંબેના નાદ સાથે અંબાજી પગપાળા 52 ગજની ધજા લઈને નીકળ્યા હતા અને ગઈકાલે અંબાજી પોહચ્યા હતા અને માં અંબાના મંદિરના શિખરે 52 ગજની ધજા ચઢાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.